Archive for November, 2008
Mumbai ATS : Truth always prevails
Lot of things said and telecasted, be it print media or electronic media. Just Sadhvi Pragya Singh Thakur arrested and the media gave name to the chapter- Hindu terrorism! Nobody went into the matter whether it is true or not. It seems totally political move. Think, sadhvi was tested not for single time, but three- three times! And when after three tests, when there did not come the estimated truth came out, Mumbai ATS defends itself by telling that Sadhvi knows mind controlling by art of yog.
Not only Hindu saint, but army’s involvement was also ‘organised’ by ATS. And they were not only linked to Malegaon blasts, but to Samjauta express blasts also.
But you can not hide truth.
Now newspaper reports says that there are no proofs of linking Lt. Col. Purohit to Samjauta Express blasts.
(Here is the link : http://timesofindia.indiatimes.com/India/No_proof_linking_Lt-Col_to_Samjhauta/articleshow/3730073.cms)
Now, when they were not able to prove Sadhvi‘ and others’ involvement in Malegaon blast case, Mumbai ATS has imposed MCOCA on them. Till then, they were even not able to make chargesheet. Now as they have imposed MCOCA, they have got enough time to file chargesheet.
Even when Sadhvi Pragya Singh Thakur was arrested on basis of her motorbike was used, nobody used its mind to think that a master mind or even a culprit can not think to use its own vehicle for planting a bomb! Even, some army officers have also revealed in interviews given to media that army doesn’t have RDX. So, unlike islamic terrorists, who receive all type of militry help from neighbour country, for hindus or for that matter any other people, there will be highly impossible to make such blasts. This is matter of just common intelligence.
With Sadhvi’s areest, the pseudo secular leaders like Laloo Prasad Yadav, Amar Singh, Ram Vilas Paswan made hue and cry to put ban on Hindu organizations like Bajrang Dal and VHP.
And there comes twist in the tale. The fact comes on the fore that RSS and Bajrang Dal are not terrorist organisations. And see the wonder, it’s not told by any court or Government, but Britain Government has certified that.
(Here is the link: http://timesofindia.indiatimes.com/India/RSS_Bajrang_Dal_not_terror_groups_UK/articleshow/3730887.cms)
For assumption, for sake of hell, if we tend to believe that Sadhvi, Lt. Col. and others were involved in said blast, then one has to think why it was happened.
Think, one Babri mosque, where no muslim used to go to offer pray, destroyed, not a single muslim was killed in that incident and though Dawood Irahim and his gang members organised and made serial bomb blasts in 1993. Since this, many hindus have been killed in infinite blasts occured in Kashmir to Kanyakumari. Nobody thinks about that.
When bomb blasts occurred recently in Ahmedabad, logics were floated that it was retaliation of post Godhara riots. Though nobody thought that post Godhara riot were reaction of Godhara train massacre.
Whenever, a small incidence of riot or so called atrocities to minorities happens in Gujarat or any other BJP ruled states, Tista Setalwad, Javed Akhtar, Shabana Azmi, Mahesh Bhatt and Gujarati pseudo secularists declares atrocities on minority muslims in Gujarat, but when in Mumbai Raj Thakrey and his activists make violence (This is different topic which I will discuss later on this blog), they becomes silence.
To make my point more strong, I hereby give the full article of Mr. Francois Gautier, who is Editor In Chief of La Revue de l’Inde published in Outlook of 10th November, 2008.
2 comments 21/11/2008
બેન્ડવાજા પર જ નહીં, ઘોંઘાટ પર પણ પ્રતિબંધ જરૂરી
તા. ૧૮ નવેમ્બર ૨૦૦૮ના ‘દિવ્ય ભાસ્કર’માં એક સારા સમાચાર છે. ઃ મુસ્લિમ સમાજે બેન્ડવાજા પર પ્રતિબંધ મૂકવાનું જાહેર કર્યું. આમ તો મુસ્લિમ સમાજ બહુ જ રૂઢિચુસ્ત ગણાય છે અને સુધારા માટે ખાસ જાણીતો નથી, પરંતુ આ સુધારો નોંધનીય છે. જોકે ફરી એ જ વાત છે કે આ સુધારો કરાયો છે તો રૂઢિના નામે જ. એટલે કે એમ કહીને કે શરિયતમાં આ બાબત નથી. સાથે એમ પણ કહેવાયું છે કે આ પૈસાનો બગાડ અને પ્રદૂષણ પણ છે.
ગુડ. બહુ જ સરસ. આ કામ માટે મુસ્લિમ સમાજની પીઠ થાબડવી જોઈએ. એમ તો થોડા સમય પહેલાં જૈન સમાજે પણ રાત્રિના ભોજન નહીં કરવાનું અને એટલે જ રાત્રે લગ્નસમારંભો પણ નહીં યોજવાનો આવકારદાયક નિર્ણય લીધો હતો. મુદ્દે વાત શું છે કે રાત્રે લગ્નસમારંભ યોજાય એટલે કેટલી બધી લાઇટ બળે? મંડપમાં લાઇટ તો હોય જ પણ પ્રવેશદ્વાર અને અંદર રસ્તા પર રોશની તો હોય જ. ઉપરાંત જે પરિસરમાં લગ્ન ચાલતા હોય ત્યાં સ્પીકરમાં સંગીત કે ગીતો વાગતા હોય.
આપણે બીજા બધા પ્રદૂષણના મુદ્દે ઘણું કામ કરીએ છીએ પણ આ ઘોંઘાટના પ્રદૂષણના મુદ્દે કામ થતું નથી. લગ્નસમારંભોમાં જે પ્રકારે વરઘોડા નીકળે છે તેના પર સમાજે સ્વયંભૂ જ પ્રતિબંધ મૂકવો જોઈએ.
જૂના જમાનામાં વાત અલગ હતી, પણ હવે જે પ્રકારે ટ્રાફિક થતો જાય છે તેના કારણે આ વરઘોડા કેટલો બધો સમય ટ્રાફિક જામ કરી દે છે! અને એવાં તો કેટલાંય લગ્નો યોજાતા હશે. લગ્ન તો ઠીક, પણ ધાર્મિક યાત્રાઓમાં જે ઉત્સાહ (મોટા ભાગે નાચવાની ચળ) હોય છે તે વધુ પડતો જ લાગે છે. તેમાંય બેન્ડવાજા તો ખરા જ. અને છેલ્લાં કેટલાંક વર્ષોથી બેન્ડવાજામાં બેસૂરા અવાજે (પાછો તે માણસ છોકરીના અવાજમાં પણ ગાતો હોય) ગાતો હોય અને સાથે કીબોર્ડ વગાડતો હોય. લગ્ન હોય કે કોઈ સંપ્રદાય કે ધર્મની યાત્રા, તેમાં બેન્ડવાજા ફરજિયાત થઈ ગયા છે જાણે. અને ફટાકડાથી તો તોબા! ફટાકડાનો આનંદ માણવો આબાલવૃદ્ધ સહુને ગમે એમાં ના નહીં, પણ રસ્તા પર ફટાકડા ફોડાય તેમાં અકસ્માત તો થતા થાય પણ રસ્તા પરથી જનારા માણસને બે મિનિટ થોભી જવું પડે કે સાવચેતી તો રાખવી જ પડે. ભરપૂર શક્યતા હોય છે કે ફટાકડો ઊડીને વાહનની પેટ્રોલની ટાંકી પર પડે અને મોટો ધડાકો થાય. અરે ભાઈ, નાચવું જ હોય તો કોઈ મેદાન, વાડી કે પ્લોટ તમે ભાડે રાખો જ છો અને તેમાં તો પાછા દાંડિયારાસ યોજો જ છો તો તેમાં નાચી લો ને. રસ્તા પર નાચવાનો મોહ શાને માટે? તેમાંય ઉનાળામાં લગ્ન હોય તો વરઘોડો ખરેખર ત્રાસદાયક જ લાગે છે.
અમદાવાદ શહેર પૂરતું, કારમાં મોટે મોટેથી સંગીત વગાડવા પર પ્રતિબંધ તો ટ્રાફિક વિભાગે મૂક્યો છે, પણ તેના અમલમાં અન્ય કાયદાઓના અમલ જેવું જ છે, અર્થહીન. બાકી, ફ્લેટમાં કે ટેનામેન્ટમાં કોઈ વીરલા કે વીરલી ધૂમધડાકાભેર સંગીત સાંભળતા હોય તો તેને ટોકવા જતા સામે બેચાર વાતો સાંભળવાની તૈયારી રાખવી પડે તેવો આ સમય છે. નવરાત્રિમાં પણ ગલીએ અને મોહલ્લે આયોજનો થાય છે, પણ તેમાં જો સાઉન્ડનું સ્તર યોગ્ય જાળવવામાં આવે તો તેમાં ભાગ લેનારાને તો મજા પડે જ પડે, પરંતુ જે લોકો બીમાર છે, વૃદ્ધો છે, વિદ્યાર્થીઓ છે તેમને રાહત મળે.
અત્યારે જે મંદી ચાલી રહી છે તેમાં તો ખાસ, એક નિર્ણય લેવા જેવો છે, લગ્ન સાદાઇથી કરવાનો. પણ સવાલ એ છે કે ભપકાની, દેખાદેખીની ટેવ જે પડી છે તેમાંથી કેમ કરીને છૂટાશે?
1 comment 21/11/2008
મોહ તારાં રૂપ છે હજાર!
‘હું એક વાર યુરોપ જઈ આવું ભગવાન તો તને નાળિયેર વધેરીશ! ’
‘મને અમેરિકાના વિઝા મળી જાય તો હું પાંચ બ્રાહ્મણ જમાડીશ.’
‘મારા દીકરાના ઘરે દીકરાનું મોઢું જોઈ લઉં પછી ભગવાન તમતમારે મને ઉપર બોલાવી લેજો બસ! પણ એક વાર મને પૌત્રને રમાડી લેવા દો.’
‘મને બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા એંસી ટકા આપજો ભગવાન તો હું મેડિકલમાં એડ્મિશન લઈ શકીશ.’
માણસની ઈચ્છાઓ અનંત હોય છે પણ કેટલીક ઈચ્છાઓ એવી હોય છે જે મોહનું સ્વરૂપ ધારણ કરી લે છે. મોહ એટલે? મોહ એટલે એવી ઉચિત-અનુચિત ઈચ્છા જે કોઈ પણ રીતે પૂરી થવાની ઘેલછા હોય. જીવનમાં મોહ ન હોય તો? મોહ વગરનું જીવન કલ્પવું મુશ્કેલ બને અને એ વાત પણ એટલી જ સાચી છે કે મોટા ભાગના મોહ શાશ્વત નથી હોતા.
આ જુઓને, નાનપણથી જ બાળકમાં મોહની શરૂઆત થઈ જાય છે. નાનો હોય ત્યારે રમકડાંનો મોહ હોય. અને આ મોહ શાશ્વત નથી હોતો. પહેલાં લાકડાંવાળા કે માટીનાં સ્થિર રમકડાં ગમતા હોય છે. એમાં એક રમકડાથી રમતા હોય અને બીજું નવું રમકડું આવે એટલે પહેલા રમકડાંનો મોહ જતો રહે. સ્થિર રમકડાંમાંથી પછી ચાવીવાળાં કે સેલવાળા રમકડાંનો મોહ જાગે છે. એમાંય જો બાપુજી સાથે દુકાને ગયા હોય અને કોઈ નવું રમકડું જોઈ ગયા હોય તો પછી બસ. એ જ રમકડું મેળવવાનો મોહ જાગે. બાપુજી પછી એ રમકડું અપાવવા માટે જે શરતો મૂકે તે માનવા તૈયાર થઈ જાય. એમાંય બાપુજી કહે કે એ રમકડું અપાવું પછી બીજા રમકડાંની જિદ નહીં કરવાની તો ત્યારે તો બાળક હા જ પાડે, પણ એ ‘હા’ લાંબી ટકતી નથી. કેટલાંક બાળકો કદાચ નાનપણથી જ રાજકારણી થવા સર્જાયેલાં હોય છે. અથવા તો એમ કહી શકાય કે આપણા તમામમાં રાજકારણીના ગુણો ઓછાવત્તા અંશે હોય જ છે.
ઠીક. વળી, નવું રમકડું જોયું એટલે તેનો મોહ જાગે અને તેના જ ગુણો દેખાય. માનો કે લાકડાનો ઘોડો ઘરમાં છે જ અને ચાવીવાળો પ્લાસ્ટિકનો રમકડો જોયો એટલે રાજકુંવર એ ચાવીવાળા રમકડાની ફરમાઇશ કરે. બાપુજી એ ફરમાઇશનું ખંડન કરે એમ કહીને કે ઘરમાં રમકડાનો ઘોડો છે જ પણ આપણો રાજકુંવર તેના મનપસંદ પેલા પ્લાસ્ટિકના ચાવીવાળા ઘોડાના ગુણગાન ગાવા શરૂ કરે; જેમ કે લાકડાનો ઘોડો તો સ્થિર જ રહે છે. તે રમતાં રમતાં હાથમાં વાગી જાય છે…ઈત્યાદિ ઈત્યાદિ.
રમકડાંથી શરૂ થયેલો આ મોહ આગળ જઈને સાઇકલના મોહમાં આગળ વધે છે. માત્ર સાઇકલ જ નહીં, દફ્તર તરીકે લઈ જવાતી પતરાની પેટી, બેગ, થેલો, થેલી, કંપાસબોક્સ, પેન્સિલ, રબર, પેન, પાટી (સ્લેટ), ડ્રોઇંગ બુક, બુટચંપલ, કપડાં, રિબીન, બોરિયાં, માથામાં નાખવાની પિન, સોનાની કે ચાંદીની (કાંડામાં પહેરાતી) લકી, સ્ટિકર, નોટબુકને ચડાવવાના પૂઠાં, હીમેન કે સુપરમેનનું માસ્ક,…નાનપણના મોહની યાદી અનંત છે. ટ્રાઇસિકલથી શરૂ થયેલી મોહની સફરમાં પછી બાઇસિકલ એટલે કે બે પૈડાંવાળી સાઇકલનો સમાવેશ થાય છે, પછી એ જગ્યા મોટી બે પૈડાંવાળી સાઇકલનું લે છે. આગળ જતાં સાઇકલમાંથી લ્યુના, લ્યુનામાંથી સ્કૂટી કે કાઇનેટિક, પછી એક્ટિવા અને તે પછી બાઇક…આગળ જતાં ચતુષ્ચક્રી વાહન એટલે કે કારનો મોહ જાગે.
કાર આવી જાય એટલે આ મોહ પૂરો થઈ જાય? સાહેબ, તમે ખાંડ ખાવ છો. એમ્બેસેડર કે ફિયાટથી તો આ મોહ શરૂ થાય છે. આગળ જતાં મારુતિ ફ્રન્ટી, અલ્ટો, સ્વિફ્ટ, હુંડાઇ કે ઇનોવા, મર્સિડિઝ અને લેમેઝોન….સવાલ માત્ર એટલો જ છે કે તમારી પાસે તમારા મોહને પોષવા કેટલી ત્રેવડ છે.
કાર જ નહીં, મોબાઇલની પણ આવી જ માયાજાળ છે. નોકિયાના બાબા આદમના વખતના મોડલ (હવે તો નંબર પણ ભૂલાઈ ગયો છે, કદાચ ૧૧૦૦?) કે સેમસંગના આર ૨૨૦થી શરૂ થયેલી માયાજાળ છેક એપલ કે બ્લેક બેરી સુધી વિસ્તરે છે.
ઘરમાં પણ આવું જ છે. પહેલાં તમે એક રૂમ કમ રસોડાના ફ્લેટમાં રહેતા હતા. પણ ધીમે ધીમે એક રૂમ રસોડાના ફ્લેટનો મોહ જાગે છે અને પછી બે રૂમ રસોડા, આજની ભાષામાં વન બી એચ કે ફ્લેટનો મોહ ઉત્પન્ન થાય છે. તેમાંથી ચાર બીએચકે ફ્લેટ અને ભગવાનની દયા હોય તો, એક બંગલા બને ન્યારાનો મોહ પેદા થાય.
આપણે થોડી આડી વાત પર ચડી ગયા, નહીં? બાળકની વાત પર પાછા ફરીએ તો, બાળક ધીમે ધીમે કિશોર બને છે. તરુણાઇ ફૂટી રહી છે. હવે દાઢી કરવાનું મન થઈ રહ્યું છે. આછી આછી રૂંવાટી જેવી દાઢી પણ આવી રહી છે. અંતઃસ્ત્રાવો ભરપૂર વહે છે. પહેલાં જે છોકરીનો સ્પર્શ સાહજિક હતો, હવે તે સ્પર્શ થતાં રોમાંચ થાય છે અથવા તો તેની કલ્પના પણ રોમાંચકારી છે. અરે, સ્પર્શની ક્યાં વાત કરો છો સાહેબ! એ છોકરી સામું જોઈ પણ લે ને તો ભયો ભયો! સાથે એક બીજો મોહ પણ છે. ઊંચા પગારવાળી નોકરી કે ધંધામાં સેટ થવાનો. મનગમતી છોકરી મળી ગઈ કે મેળવી લીધી, સારા એવા પગારવાળી નોકરી પણ છે એટલે શું મોહ પૂરો થઈ ગયો? સાહેબ! તમે ખાંડ ખાવ છો. તમે સેલ્સમેન છો પણ તમારે હવે આસિસ્ટન્ટ સેલ્સમેન બનવું છે. ધીમે ધીમે સિટી મેનેજર, પછી ડિસ્ટ્રિક્ટ મેનેજર, રિજનલ મેનેજર, ઝોનલ મેનેજર…આગે જહાં ઔર ભી હૈ. ધંધો હોય તો દરેક નવા ટેન્ડર વખતે ટેન્ડર જીતવાનો મોહ થતો જ રહે છે. રાજકારણમાં હો તો? અરે બાપા! વાત જ ક્યાં માંડો છો. પહેલાં નગરસેવક, પછી ધારાસભ્ય પછી મંત્રીપદ અને પછી મુખ્યમંત્રી….જય રામજી કી!
મોહને ત્યાગવાની સલાહ આપતા ધર્મના નામે રચાતા ભ્રામક ક્ષેત્રમાં પણ ૧૦૦૮ અને એવાં કંઈક ટોચના શિખર સર કરવાનો મોહ જાગે છે. સાધના કરતા લોકો પણ અમુક અઠ્ઠાઇ કરીને વિક્રમ સર્જવાનો આનંદ લઈ લે છે. તમારામાં કલાનો જીવડો ઉછળ-ઉછળ કરતો હોય અને એ કલા કોઈ પણ હોય; માનો કે અભિનયની કલા છે તો પહેલાં તો, ‘હે ભગવાન, એક વાર બોલિવૂડમાં પગ મૂકવાની જગ્યા થઈ જાય, બસ પછી મારે કંઈ ન જોઈએ.’ પણ એ કંઈ ન જોઈએની સ્થિતિ ક્યારેય નથી આવતી. પહેલાં કોઈ પણ આલિયામાલિયા સાથે કામ કરવા તૈયાર થતી હિરોઈન બાદમાં શાહરુખ કે અક્ષયકુમાર સાથે કામ કરવાનું સ્વપ્ન સેવવા લાગે છે. માત્ર હીરો જ શું કામ? સુભાષ ઘઈથી લઈને કરણ જોહર સુધીના નિર્દેશકો પણ તેમની આ સ્વપ્નસૃષ્ટિમાં વસેલા હોય છે. એ પૂરું થાય એટલે એવોર્ડ મેળવવાની તૃષ્ણા જાગે. એવોર્ડની માયાજાળ પણ અનેરી છે. ફિલ્મફેર, સ્ક્રીન, ઝી, સ્ટારડસ્ટ જેવા એવોર્ડ તો પછી ધૂળ ચાટતા હોય છે, ‘બસ, એક વાર નેશનલ એવોર્ડ મળી જાય, ભગવાન!’. એવોર્ડમાં આખરી મુકામ કદાચ, ઓસ્કરનો છે?
મની, પાવર, પોઝિશન, ફેમ…આ બધાના મોહમાં એક મોહ અનોખો છે. મોહમાંથી તે ક્યારે શોખમાં પરિવર્તિત થઈ જાય છે તેની ખબર નથી રહેતી. અલબત્ત, આ મોહ ઘણી વાર ફેમ અર્થાત્ કીર્તિ મેળવવાની લાલસા કે ઘેલછામાંથી જ જન્મે છે. આ મોહ તે જુદી-જુદી વસ્તુ એકત્ર કરવાનો મોહ. કોઈને માત્ર મોહમ્મદ રફીનાં ગીતો ભેગાં કરવાનો મોહ હોય, તો કોઈ વળી અભિનેતા-અભિનેત્રી, ક્રિકેટર કે અન્ય ખેલાડીના ફોટા ભેગા કરે તો કોઈ વળી ટપાલટિકિટો ભેગી કરતા રહે. ઘણા એવા લોકો પણ જોયા છે જેમને કોઈ પણ નવું મેગેઝિન અથવા તો મેગેઝિનના દિવાળી, વાર્ષિક કે કોઈ ખાસ સંગ્રહનીય અંકો કે છાપાંનાં કતરણો ભેગા કરવાનો મોહ કહો કે શોખ, છે. કોઈ અવનવી જગ્યાની મુસાફરીનો મોહ ધરાવતું હોય તો કોઈને નિતનવી વાનગી બનાવવાનો કે ખાવાનો મોહ હોય. ગળ્યાનો મોહ ઘણાને ડાયાબિટીસ છતાં છૂટતો નથી. ઘણા સેલિબ્રિટીને મળવાનો મોહ ધરાવતા હોય તો ઘણાને સાવ ઓછી જાણીતી, પછી ભલે ને બોલિવૂડમાં આઇટમ ડાન્સ કરતી હોય કે પછી સાઇડ એક્ટ્રેસ તરીકે કામ કરતી હોય તેમની સાથે રાત વિતાવવાનો મોહ હોય છે અને તેના માટે હજારો-લાખો રૂપિયા ખર્ચતા અચકાતા નથી. અને હા, ઘરેણાંનો મોહ તો સ્ત્રીને ક્યારેય છૂટવાનો નથી. હીરા હૈ સદા કે લિયે!
જુવાની ટકાવી રાખવાનો કે રૂપાળા દેખાવાનો મોહ ન હોત તો વિચારો, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી હોત ખરી? અને જીવતા રહેવાનો મોહ ન હોત તો દવાઉદ્યોગનું તો બાળમરણ જ થઈ ગયું હોત. પરંતુ આ મોહના કારણે જ માણસ ગમે તેટલા રોગથી પીડાતો હોય દવાના સહારે પથારીમાં પડ્યા પડ્યા પણ દેહ ટકાવી રાખે છે. અને ઘણી વાર મરણ સમય આવે ત્યારે આ જ મોહના કારણે, આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે તેમ, આત્મા ભટકતો રહે છે. જ્યાં સુધી એ મોહ, એ ઈચ્છા તૃપ્ત ન થાય ત્યાં સુધી તેની સદ્ગતિ થતી નથી. એ ઈચ્છા, એ મોહ કોઈ પણ હોઈ શકે છે. અરે, એ ઈચ્છા, એ મોહના કારણે ઘણી વાર તો માણસનું મોત પણ પાછું ઠેલાતું રહે છે…તે ગમે તેવો રિબાતો હોય તેમ છતાં! આવા અનેક દાખલા મેં અને તમે જોયા છે.
જીવનની શરૂઆતથી અંત સમય સુધી મોહ સતત જકડાયેલો રહે છે. મોહ વગરનું જીવન શક્ય જ નથી. પ્રશ્ન એ હોય છે કે તે મોહની તૃપ્તિ માટે કેટલી ત્રેવડ છે. દરેક મોહ તૃપ્ત થતો નથી. દરેક મોહ તૃપ્ત કરવા જેવો પણ નથી હોતો. મોહ તો ઘોડા જેવો છે. તેના પર લગામ જરૂરી છે. તે કાબૂમાં રહીને દોડે તો જ તમે ઈચ્છિત ગંતવ્ય સ્થાને પહોંચી શકો. પણ જો તમે ઘોડાને વશ થઈ ગયા તો પછી ખલાસ!
આટલું બધું લખ્યા પછી વિચાર આવે છે કે, સાલું લખવાનો મોહ ન હોત તો આટલું અને આવું (અલબત્ત, સરસ) લખાયું હોત?
(‘અભિયાન’ના મોહ-માયાની થીમવાળા દિવાળી અંક માટે લખેલો પણ અપ્રગટ રહેલો લેખ)
Add comment 05/11/2008

