Archive for March 20th, 2009
નસીરુદ્દીન શાહનું ઓસ્કાર વિશે મંતવ્ય
એક મુલાકાતમાં વિચારવંત અભિનેતા નસીરુદ્દીન શાહે ‘સ્લમડોગ મિલિયોનેર’ વિશે કહ્યું છે કે તે મનમોહન દેસાઇ બનાવતા હતા તે પ્રકારની ફિલ્મ છે. કઈ ફિલ્મને ઓસ્કાર મળવો જોઈતો હતો તેના વિશે તેમણે કહ્યું કે આપણે એક નગ્ન માણસની મૂર્ખ પ્રતિમા (ઓસ્કાર એવોર્ડ) અંગે શા માટે આપણા મગજને તસદી આપવી જોઈએ? તે વિશેષ લાગે તેવું તેમાં શું છે? આખું રાષ્ટ્ર શા માટે તેના પર આટલું પ્રસન્ન થઈ ગયું છે? આપણા પાન મસાલા અને ટેલકમ પાવડર એવોર્ડ જેટલો જ બોગસ એવોર્ડ ઓસ્કારનો પણ છે. એ.આર. રહેમાન અને રસૂલ પોકુટ્ટીની ખુશી હું સમજી શકું છું. પણ મને એ નથી સમજાતું કે આપણે આટલા બધા આનંદિત શા માટે થઈ જવું જોઈએ.
Add comment 20/03/2009
