ઉજવણીના આનંદમાં મોતનો મલાજો નહીં પાળવાનો?
25/09/2009
ગયા મંગળવારે (તા. ૨૨ સપ્ટે.) મારા એક સગામાં મોત થઈ ગયું. એ લોકો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. સાંજે જ મોત થયું અને સાડા આઠ વાગે તેમને અંતિમ વિધિ માટે લઈ ગયા. અંતિમ વિધિ કરીને રાત્રે ૧૧.૩૦એ પાછા આવ્યા તો જોયું તો લાઉડસ્પીકરમાં મોટા અવાજમાં રેલાતા સંગીત સાથે લોકો ગરબા લઈ રહ્યા હતા! સોસાયટી પાછી એટલી મોટીય નથી ને વળી ગરબા જે ચોકમાં રમતા હતા તેની સામે જ તો એ સગા રહે છે! મને થયું કે આટલો મલાજો પણ નહીં પાળવાનો?
મલાજામાં મને મારા નાનપણનો એક કિસ્સો યાદ આવે છે. ૧૯૮૨-૮૩ આસપાસની વાત. અમે રાણાવાવ (જિ. પોરબંદર) રહેતા હતા. અમે રિક્ષામાં અમારા ઘર તરફ પરત ફરી રહ્યા હતા એ વખતે અમારી સામે રહેતા માડીનું મોત થઈ ગયું હતું. મને યાદ છે એ વખતે રિક્ષામાં ટેપ વાગી રહ્યું હતું તો એ ટેપ છેક અમે રહેતા હતા એ ગલીમાં પ્રવેશતાં પહેલાં બંધ કરાવી દેવાયું હતું!
હશે ત્યારે, બીજું શું? આપણી દુનિયાનો એક જ મંત્ર લાગે છે – જલસા કર બાપુ જલસા કર, દુનિયા જાય તેલ પીવા જલસા કર.
Entry Filed under: ahmedabad, society. Tags: ahmedabad, ગરબા, મલાજો, મોત, લાઉડ સ્પીકર, વસ્ત્રાપુર, death, garba, loud speaker, vastrapur.
7 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed

1.
Kartik Mistry | 25/09/2009 at 4:43 pm
અરે, અમારી સોસાયટીમાં પણ એમ જ થયું છે અને તે વસ્ત્રાપુરમાં જ છે. એ મારી તો સોસાયટી નહીં?
2.
jaywantpandya | 25/09/2009 at 5:05 pm
કઈ સોસાયટી? નામ?
3.
jaywantpandya | 27/09/2009 at 5:43 am
આભાર આમંત્રણ માટે. એ બાજુ આવવાનું થશે અને તમને અનુકૂળતા હશે તો ચોક્કસ મળીશું.
4.
arvindadalja | 25/09/2009 at 5:06 pm
જયવંતભાઈ તમે પડોશીને ત્યાં અને ઘરની બાજુમાં મોતના મલાજાની વાત કરો છો પણ અંતિમ વિધિમાં જોડાનારના મોબાઈલ સ્મશાનમાં અને ઉઠ્મણાં/બેસણાંમાં પણ વાગતા રહેતા હોય છે જાણે તે કોઈ એવી મોટી હસ્તી હોય કે જેના સંપર્ક વગર કદાચ વર્લ્ડવોર ફાટી નીકળવાની દહેશત હોય ! અંતમાં તમારી આખરી લાઈન જ સાચી છે કે જલસા કર ભાઈ જલસા કર દુનિયા જાય તેલ પીવા જલસા કર !
5.
Kartik Mistry | 25/09/2009 at 5:56 pm
ચંદ્રપુરી એપાર્ટમેન્ટ..
6.
jaywantpandya | 26/09/2009 at 4:35 am
હા, તે જ.
7.
Kartik Mistry | 26/09/2009 at 8:41 pm
શરમ આવવી જોઈએ, બધાને. મને એમ હતું કે આજે તો ગરબા બંધ રાખશે. પણ
એની વે, હવે સોસાયટી તમે જોઈ છે તો સામે કે-૫માં હું રહું છું – ઘરે આવવાનું હાર્દિક નિમંત્રણ!