Posts filed under 'celebrity'
ઈશ્વરની દુનિયા, ફિલ્મ, સિરિયલ, રિયાલિટી શો અને ક્રિકેટ : શું બધે હીરો, હિરોઇન અને વિલન હોય જ?
શ્રી રામ, સીતાજી અને રાવણ.
શ્રી કૃષ્ણ, રૂક્મિણી અને સામે-કંસ, જરાસંધ, દુર્યોધન…
રામાયણ અને મહાભારત એ બે મહાકાવ્યોને આપણે ધર્મગ્રંથો તરીકે સ્વીકાર્યા છે. શ્રીરામ અને શ્રી કૃષ્ણ આપણા રિયલ હીરો છે. આ બે ધર્મગ્રંથો ઉપરાંત જેટલી પણ ધર્મકથા સાંભળશો તો તેમાં દેવ અને દાનવની વાત આવશે જ. માતાજીના ચંડીપાઠમાં પણ માતાજી અને સામે પક્ષે શુંભ, નિશુંભ, મહિષાસુર, ચંડ, મુંડ વગેરેની વાત આવે છે.
સવાલ એ છે કે શું હીરો, હિરોઈન અને વિલનની વાત માત્ર ફિલ્મોમાં નહીં, બધે જ આવે?
નવલકથા, નવલિકા,વાર્તા (રાજા, રાણી અને એક દુષ્ટ પ્રધાન કે રાક્ષસની બાળપણમાં સંભળાવાતી વાર્તા)માંય નાયક, નાયિકા અને દુષ્ટ માનવીની વાત હોય છે જ.
હીરો-હિરોઇન અને વિલન વગર આપણી હિન્દી ફિલ્મોય અધૂરી છે. જોકે, છેલ્લા ઘણા સમયથી, ખાસ તો મલ્ટિપ્લેક્સ સિનેમા અને રામગોપાલ વર્મા, સંજય ગુપ્તા, મહેશ માંજરેકર જેવા દિગ્દર્શકો આવ્યા પછી નાયક-નાયિકા ૨૪ કેરેટના સોના જેવા જ હોય તેવું બતાવાતું નથી.
કોઈ પણ સિરિયલો લો, તેમાંય આ આ ત્રણ પ્રમુખ તત્ત્વો હશે જ.
રિયાલિટી શોમાં રિયાલિટી હોવાનું કહેવાય છે, પરંતુ ખરેખર તો તેય સ્ક્રિપ્ટેડ હોય તેવું લાગે છે. ‘બિગ બોસ’ની કોઈ પણ શ્રેણી લો, તેમાં એક પુરુષ એવો હશે જેને થોડો સારો બતાવાયો હશે, એક રૂપાળી સ્ત્રી હશે અને એક વ્યક્તિ એવી હશે જેના પર લોકોને ધિક્કાર છૂટે. (ગઈ શ્રેણીમાં રાહુલ મહાજનને હીરો, મોનિકા બેદી-પાયલ રોહતગીને તેની હિરોઈન અને રાજા ચૌધરીને વિલન બતાવવા પ્રયાસ હતો, આ વખતે હીરો તરીકે પ્રવેશ, હિરોઇન તરીકે ક્લાઉડિયા અને વિલન તરીકે કમાલ ખાન છે. કમાલ આઉટ થઈ ગયો હોવા છતાં તેને વાઇલ્ડ કાર્ડ દ્વારા લઈ અવાયો. દેશનો આદેશ કોણ માને છે?)
કમનસીબે, ક્રિકેટમાંય આવું થવા લાગ્યું છે. શ્રીસંત અને હરભજનનું લાફા પ્રકરણ થયેલું તે શું હતું?
સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં દેખાડાય છે તેવા લોકો- તેવી દુનિયા ક્યાંય હશે ખરા? કે બધું જ સ્ક્રિપ્ટેડ જ હશે? ઈશ્વરને કહેવાનું મન થાય છે કે તું આવી સ્ક્રિપ્ટ કેમ લખે છે, જેમાં હીરો-હિરોઈન છેક સુધી વિલનના હાથે પીટાયા રાખે અને છેલ્લા સીનમાં હીરો વિલનને બેત્રણ મુક્કા મારે?
Add comment 27/11/2009
વાહ ભાઈ વાહ! સુચિત્રા કૃષ્ણમૂર્તિ પણ આ જ કહે છે
જાણીતી અભિનેત્રી અને દિગદર્શક શેખર કપૂરની ભૂતપૂર્વ પત્ની સુચિત્રા કૃષ્ણમૂર્તિ પણ ‘બહેરા કાન પર દયા જ ખવાય’ પોસ્ટમાં વ્યક્ત મારા વિચારો જેવા જ વિચારો ધરાવે છે તે જાણી-વાંચી આનંદ થયો. લો! તમે પણ વાંચો, સુચિત્રા પણ ઘોંઘાટથી કેવો ત્રાસ અનુભવે છે.
Add comment 25/09/2009
Jinnah (જિન્નાહ) or Zeena (ઝીણા)?
It is irony that Gujarati newspapers also write wrong name and spelling of Kayad-e-azam who is originally Gujarati. It is not Jinnah (જિન્નાહ), it is Zeena (ઝીણા). This is because just translating from English news agencies-PTI, UNI or from internet. It is as bad as writing Broach instead of Bharuch knowing well original name. Britishers and then Black Englishmen are writing many Indian names wrong. They write Rathor (રાઠોર) instead of Rathod, Merut (મેરુત) instead of Merath (મેરઠ) and so on.
Add comment 26/08/2009
શાહરુખનું અપમાન થયું નથી અને થયું હોય તો તેનું અપમાન દેશનું અપમાન નથી
આ બ્લોગમાં આનંદ સૂનદાસે બધું જ કહી દીધું છે. વાંચો :
http://blogs.timesofindia.indiatimes.com/onefortheroad/entry/don-t-make-a-big
1 comment 17/08/2009
‘ઈમરાન હાશ્મી…’ પાર્ટ ટૂ : સોસાયટીમાં કે પડોશમાં આવતા કોઈને રોકી શકાય?
ઈમરાન હાશમીના કિસ્સામાં એવું નથી કે તે મુસ્લિમ છે એટલે તેને ફ્લેટ વેચવાનો ઈનકાર કરવામાં આવ્યો. પણ… એક બહુ કડવું સત્ય લખવા જઈ રહ્યો છું કે તે મુસ્લિમ હોય તે જ કારણે માનો કે ફ્લેટ વેચવા ખરેખર ઈનકાર કરવામાં આવ્યો હોય તો તેના કારણો શું હોઈ શકે?
ગુજરાતની વાત જ કરીએ કે ગુજરાતીઓની મુંબઈમાં સોસાયટી હોય તો સામાન્ય રીતે ગુજરાતીઓ મુસ્લિમોને કે ફોર ધેટ મેટર, પરપ્રાંતીયોને બાજુમાં રાખવાનું પસંદ કેમ નથી કરતા? એક મોટું કારણ શાકાહાર છે. માંસાહાર રંધાતો હોય તે (દલીલ કરનારાઓ એવી દલીલ કરી શકે કે ગુજરાતીઓ પણ મોટા પાયે માંસાહાર કરવા લાગ્યા છે- પણ તે હજુ ઈંડાની લારી પૂરતું છે, ઘરમાં એ દૂષણ હજુ નથી પ્રવેશ્યું) સહન નથી થઈ શકતું. એટલે તો ગુજરાતમાં એવી રેસ્ટોરન્ટ નથી. જૈનો સહિત ઘણા ગુજરાતીઓ માંસાહારવાળી રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ નથી કરતા. ઘણાને તો પરપ્રાંતીયો સરસિયા તેલમાં રાંધે તે તેલની વાસ પણ સહન નથી થતી હોતી! આ જાણેલો અનુભવ છે.
બીજું કારણ જે મુસ્લિમોના કેસમાં જ નહીં ઘણી હિન્દુ જાતિઓના કિસ્સામાં પણ લાગુ પડતું હોય છે. અમુક ધર્મ કે જાતિઓના લોકોને સોસાયટીમાં મકાન વેચવા કે ભાડે આપવાની વણલિખિત મનાઈ હોય છે તે છે દાદાગીરી, બહેન-દીકરીઓની સલામતી. (અહીં યાદ રહે કે બધા મુસ્લિમો એવા નથી હોતા પણ એક છાપ જે બંધાઈ ગઈ છે તેની વાત છે, જેમ કે મહારાષ્ટ્રમાં ભૈયાઓ પ્રત્યે છાપ બંધાઈ ગઈ છે)
અમારા ભાવનગરની જ વાત કરું તો, આજથી દસ બાર વર્ષ પહેલાં અલંગમાં કમાયેલા સુખી સંપન્ન મુસ્લિમોએ શિશુવિહાર વિસ્તારની આજુબાજુ મકાનો લેવાનું શરૂ કર્યું ત્યાર પછી હિન્દુઓ ધીમેધીમે ત્યાંથી ખસતા ગયા. ભાવનગરની ભૂગોળથી પરિચિત લોકો જાણી શકે કે આજે શિશુવિહારથી આગળ વધીને મુસ્લિમો છેક માણેકવાડી સુધી આવી ગયા છે. અને સાંભળેલી વાત મુજબ, માણેકવાડીમાં જે હિન્દુ પરિવારો રહેતા હતા તેમને વિસ્તાર ખાલી કરવાની ધમકીઓ પણ અપાઈ હતી. અને કેટલાક કિસ્સામાં કારણ તરીકે અસભ્યતા, મેનરિઝમનો અભાવ, અસ્વચ્છતા અને બહેન-દીકરીઓની સલામતી ગણાવાય છે. એમ જોવા જાવ તો ગુજરાતમાં પણ સિંધીઓની અલગ સોસાયટી નથી હોતી? કેમ? વચ્ચે એક ગુજરાતી અખબારમાં એક જાહેરાત એવી પણ જોઈ હતી કે મકાન માત્ર મુસ્લિમોને જ વેચવાનું છે. અમદાવાદાના જુહાપૂરામાં કોઈ હિન્દુ રહે છે? અરે, તેને માત્ર અંદર જવું હોય તો પણ ફફડતા જવું પડે તેવી સ્થિતિ છે તે સહુ કોઈ જાણે છે.
હકીકતે માણસ તેનો પડોશી પસંદ નથી કરી શકતો તેવી ઉક્તિ છે, પણ એ ભૌગોલિક કિસ્સામાં. (ભારત તેના પડોશીઓને બદલી શકે?). પણ માનો કે, ભારત કોઈ દેશ નહીં, પણ વ્યક્તિ છે અને તેને અગાઉથી ખબર છે કે પાકિસ્તાન લખણે કેવું છે તો શું તેને બાજુમાં રહેવા આવવા દેશે?
અને ગુજરાત પૂરતી જ વાત રાખીને કહીએ તો જૈનો મોટા ભાગે દહેરાસરની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે અને આવા ફ્લેટમાં જૈનો મોટા ભાગે વસતા હોય છે. એ વાત અલગ છે કે જૈનો તથા હિન્દુઓની અમુક જાતિ વચ્ચે મોટા પાયે સામ્યતાવાળી સંસ્કૃતિ હોવાથી તેઓને સાથે રહેવામાં કોઈ મુશ્કેલી નથી નડતી.
મૂળ તો, સમાન વિચારવાળા, સમાન સંસ્કૃતિ, રીતરિવાજો ધરાવનારાઓને સાથે રહેવામાં વધુ મજા આવે અને આ ક્રમ આજકાલનો નથી, આદિકાળનો છે. અને તેના માટે ફોર્સ ન પાડી શકાય. અરે, માનવની વાત છોડો, પ્રાણીઓ કે પક્ષીઓ પણ એક સાથે જોવા મળે છે કેમ? દરેકને પોતાની સુરક્ષા વહાલી હોય છે. લગ્ન બાબતમાં પણ એક જ વિસ્તારના, એક જ પેટાજ્ઞાતિમાં યોગ્ય સાથી શોધવામાં આવતા હોય છે તેનું કારણ પણ એ જ છે કે ભાષા સરખી હોય, રીતરિવાજો સરખા હોય, રહેણીકરણી સરખી હોય એટલે છોકરીને બહુ વાંધો ન આવે. બીજું, ધર્મની વાત જવા દો. આપણી આજુબાજુ સોસાયટીઓ તરફ નજર દોડાવીને કિસ્સા શોધીશું તો ખબર પડશે કે ઘણી સોસાયટીઓના લોકોને તેમનામાં કોઈ બગડેલી કેરી જેવું એટલે કે ખરાબ ચાલચલગત ધરાવતું માલૂમ પડે તેમને ફ્લેટ વેચવા દેવાતો નથી કે વેચ્યો હોય તો ખાલી કરાવાય છે. કુંવારા વ્યક્તિને એકલાને મકાન ભાડે કે વેચાતું મેળવવામાં તકલીફ પડે જ છે. તો કુંવારો છોકરો કે છોકરી કોની આગળ ફરિયાદ કરવા જાય? (માનનીય વડા પ્રધાનશ્રી, કુંવારાઓની સમસ્યા સાંભળવા એક કુંવારા પંચની રચના કરવામાં આવે તેવી અમારી કુંવારાઓ વતી હાર્દિક અપીલ છે!
– )
અને ઈમરાન જો ગુજરાતમાં કોઈ સોસાયટીમાં મકાન લેવા આવે તો તેને એ નાતે તો મકાન ન પણ મળે કે તે સિરિયલ કિસર તરીકેની ઈમેજ ધરાવે છે. (અહીં ફરી એક વાત. અભિનેતા પ્રાણને પણ સમાજ સારી નજરે નહોતો જોતો, કોઈ છોકરાનું નામ પ્રાણ પરથી નહોતું પડાતું.) અને ફિલ્મસ્ટારોની ચાલચલગત તો જવા દો, પણ લાઇફસ્ટાઈલ પણ સભ્ય સમાજને કદાચ ન અનુકૂળ પડે. કેમ? અભિનેત્રી પ્રીતિ ઝિંટાની સામે આજુબાજુના રહીશોએ, તેને ત્યાં મોડી રાત્રે પાર્ટી ચાલતી હતી અને મોટા મોટા અવાજે સંગીત ચાલી રહ્યું હતું ત્યારે ફરિયાદ કરી હતી તેનો કિસ્સો જાણીતો છે જ ને?
એટલે કોંગ્રેસ સરકાર તો આવા કિસ્સામાં કોઈ અનામત જેવો કાયદો લાવી શકે છે. સરકાર આવો કાયદો લાવે કે પ્રતિકૂળ પડોશી સાથે રહેવાની ફરજ પડે તો? તો સહઅસ્તિત્વના – એકબીજાની સંસ્કૃતિ, રીતરિવાજો, સભ્યતાનો સમાદર કરીને રહેવું જોઈએ. જો એમાંથી કોઈ એક પક્ષ બીજા પક્ષ પર હાવિ થવા જાય તો સંઘર્ષ નિશ્ચિત છે અને પછી તો ડાર્વિનવાદ પ્રમાણે, સશક્ત જ પ્રભાવી રહેવાનો.
5 comments 03/08/2009
ઈમરાન હાશમી જૂઠો છે અને તેનો પબ્લિસિટી સ્ટંટ છે
‘ધ ટ્રેન’ ‘કિલર’, ‘જન્નત’ જેવી ઘણી ફિલ્મો ન ચાલતી હોવાના કારણે નવરા બેઠેલા ઈમરાન હાશમીએ નવું ઉંબાડિયું મૂકીને મુસ્લિમ-હિન્દુ સમાજનું ધ્રૂવીકરણ મજબૂત કર્યું છે. પાલિ હિલ જેવા પોશકૉસ્મોપોલિટન વિસ્તારમાં અભિનેતા અનિલ ધવન જે સોસાયટીની મેનેજમેન્ટ કમિટીમાં છે તે નિબાના હાઉસિંગ સોસાયટીમાં પોતાને પ્રવેશવા ન દીધો અને તેને ફ્લૅટ વેચવામાં નથી આવતો કારણકે તે મુસ્લિમ છે એવું ઈમરાનભાઈ તેમના મામા મહેશ ભટ્ટ (બીજું કોણ હોય?)ની સાથે રહીને કહે છે.
સદ્નસીબે (અને હંમેશની જેમ) ગુજરાતી અખબારોએ તો આ વિવાદ બહુ ચગાવ્યો નથી, પણ કમનસીબે (અને હંમેશની જેમ) હિન્દીઅંગ્રેજી ચૅનલોએ તેને ભરપૂર ઉછાળ્યો છે. શનિવારે (તા.૧ ઓગસ્ટ)ના રોજ એક ચેનલ પર આ મુદ્દે ચર્ચા હતી જેમાં ‘માનવંતા’ મહેમાનો હતા રાષ્ટ્રીય લઘુમતી પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ તરલોચનસિંહ, બહુજન સમાજ પક્ષમાંથી કાઁગ્રેસમાં જોડાયેલા રાશિદ અલવી, સમાજશાસ્ત્રી મધુ કિશ્વર અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં ‘રાઇટ વ્યૂ’ નામની કૉલમ લખતા તરુણ વિજય.
ચર્ચામાં સ્વાભાવિક જ એન્કરને પોતાની વાત જ સિદ્ધ કરવી હતી અને જ્યારથી ખાનગી સમાચાર ચૅનલો ચાલુ થઈ છે ત્યારથી જોવા મળ્યું છે તેમ, ઍન્કર તરુણ વિજય કે મધુ કિશ્વરને બોલવા જ નહોતો દેતો. એન્કરની વાત તોય સિદ્ધ થઈ શકી નહીં કેમ કે સદ્ભાગ્યે રાશિદ અલવી એવા મતના હતા કે આ બાબતને મુદ્દો બનવા જ ન દેવી જોઈએ. સરદાર તરલોચનસિંહનું પણ કહેવું હતું કે દિલ્લીમાં ૧૯૮૪માં રમખાણો થયા તે પછી શીખોને પણ મકાન મેળવવામાં તકલીફ પડતી હતી. આટલા હોબાળા પછી આ ટીવી ચર્ચામાં મહેશ ભટ્ટે એટલી પીછેહટ કરી કે અમારી ફરિયાદ આખા સમાજ સામે નથી પણ એક નિવાસી સોસાયટી (નિબાના) સામે છે. શબાનાએ જોકે મુસ્લિમોને ઘર મેળવવામાં તકલીફ પડતી હોવાનું કહ્યું. (તો પછી મુંબઈમાં તેઓ ત્રિશંકુની જેમ આકાશમાં રહે છે?) મધુ કિશ્વરે કહ્યું કે કાશ્મીરમાં અમારા ઘરને સળગાવી દેવાયું, મારા કાકાની હત્યા થઈ તો પણ અમે મુદ્દો બનાવ્યો નથી. તરુણ વિજયે પણ કહ્યું કે શબાનાબહેન કાશ્મીરના પંડિતો મુદ્દે ક્યારેય બોલ્યા છે ખરા? તો ચર્ચાના એન્કરે મધુની આખી વાતને મચકોડતા કહ્યું કે તમે એમ કહેવા માગો છો કે એનાથી ઈમરાન કે શબાનાને ઘર નથી મળતું તે વાત વાજબી છે?
હકીકતે તો ઈમરાન જુઠો છે. તરુણ વિજયે સાચું જ કહ્યું કે જેમ રાખી સાવંત (સારું થયું કે તેમણે હિન્દુનું નામ લીધું, નહીં તો એક ઓર મુદ્દો થાત) વિવાદો ઊભા કરી પબ્લિસિટી મેળવે છે અને તેના લીધે કાર્યક્રમો કે ફિલ્મો મેળવે છે તેવો જ આ ઈમરાનનો પબ્લિસિટી સ્ટંટ છે.
આ વાત સાચી લાગે છે કેમ કે અનિલ ધવને અને સોસાયટીના સેક્રેટરી મુજબ, ઈમરાન હળાહળ જૂઠું ચલાવે છે. પહેલા તો સોસાયટીમાં પ્રવેશની વાત. અનિલ ધવન (યાદ રહે, તે પોતે પણ અભિનેતા છે અને તેમના ભાઈ ડેવિડ ધવન જાણીતા નિર્દેશક છે જેમની ફિલ્મોમાં ચર્ચની વાત ઘણી વાર આવે છે) કહે છે કે અમારી મિટિંગ ચાલતી હતી ત્યારે ઈમરાન તેના પરિવાર સાથે ધસી આવ્યો હતો. સેલિબ્રિટી હોવાથી તેને ગમે ત્યાં આવી રીતે ધસી આવવાનો હક નથી મળી જતો. સોસાયટીના સેક્રેટરી જે. બી. ચેત્રીનું પણ આ જ કહેવું છે. જે.બી. ચેત્રી તો કહે છે કે તેમણે પોતે ૩૦ વર્ષ પહેલાં એક મુસ્લિમ પાસેથી જ ફ્લેટ લીધો છે તો પછી કેવી રીતે તેઓ મુસ્લિમ હોવાના આધાર પર ઈમરાનને ફ્લેટ વેચવા ઈનકાર કરે? (http://www.mid-day.com/news/2009/aug/010809-J-B-Chetry-Nibbana-society-Pali-Hill-denying-apartment-Emraan-Hashmi-muslim.htm) મિડ ડેમાં જ આવેલા અહેવાલ મુજબ, ખાર, સાંતાક્રુઝ, બાંદ્રા અને જુહૂના દલાલો આ વાતથી ચોંકી ગયા છે. તેમના કહેવા મુજબ, પાલિ હિલ તો પંચરંગી વિસ્તાર છે અને તમામ ધર્મના લોકો અહીં રહે છે. (મિડ ડેના માલિક મુસ્લિમ છે એ નોંધવું જોઈએ.)
સારી વાત એ છે કે શાહરુખ ખાન અને સલમાન ખાન બંનેએ કહ્યું છે કે તેમને ધર્મના આધારે ક્યારેય ભેદભાવનો સામનો નથી કરવો પડ્યો. સલમાન ખાને તો સ્પષ્ટ કહ્યું કે એવું હોત તો સલમાન સલમાન ન હોત, આમિર આમિર ન હોત અને શાહરુખ શાહરુખ ન હોત.
ઈમરાન જેવી મુસ્લિમ સેલિબ્રિટી આવો વિવાદ ઊભો કરે ત્યારે બહુ કરુણા ઉપજે છે કારણકે આવું હોત તો પાલિ હિલમાં દિલીપકુમારનો બંગલો ન હોત. આમિરનું ઘર ન હોત.
અગાઉ નદીમ-શ્રવણ પૈકીના નદીમે ગુલશનકુમાર હત્યા કેસમાં લંડનથી ભારત ન આવવા માટેનું કારણ આપતા કહ્યું હતું કે તેને લાગે છે કે તે મુસ્લિમ હોવાથી તેને ભારતમાં ન્યાય નહીં મળે! મેચ ફિક્સિંગ કૌભાંડમાં પકડાયેલા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને પણ કહ્યું હતું કે તે મુસ્લિમ હોવાથી તેને ફસાવવામાં આવી રહ્યો છે. જ્યારે નદીમની ધૂનો પસંદ કરાતી હતી, દર વર્ષે ઍવોર્ડ મળતા હતા, ક્રિકેટ ટીમ મેચો જીતતી હતી અને અઝહરની વાહ વાહ થતી હતી ત્યારે આ લોકો ભૂલી ગયા હતા કે તેઓ મુસ્લિમ છે છતાં દેશની બહુમતી પ્રજા તેમને માથે ઊંચકીને ફરે છે.
ઈમરાનને કદાચ તેના આ નિવેદનની ગંભીરતાનો ખ્યાલ નહીં હોય પણ તેના નિવેદન અને લઘુમતી પંચ સમક્ષ મામલાને લઈ જવાના કારણે મુસ્લિમ-હિન્દુ ધ્રૂવીકરણ ઓર મજબૂત થયું છે અને કમનસીબે દેશની સુરક્ષા માટે આ સારું નથી, ખાસ કરીને જ્યારે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ચીનપાકિસ્તાનને જોડતા કારાકોરમ નેશનલ હાઇવે પર તાજેતરમાં જ ૧૬ હવાઈ મથકોનું નિર્માણ થયું હોય અને પાકિસ્તાન સરહદ પર ધડાધડ બંકરો બનાવી રહ્યું હોય ત્યારે અને જ્યારે ઑસ્ટ્રેલિયામાં આપણા પર વંશીય હુમલાઓ થઈ રહ્યા હોય ત્યારે.
2 comments 02/08/2009
‘સચ કા સામના’ તો કંઈ નથી, કાશ્મીરા શાહ અને અદા શર્માની આ કબૂલાત જુઓ
‘સચ કા સામના’માં સેલિબ્રિટી પોતાની અંગત બાબતો કબૂલે છે, પણ તે કંઈ નથી. નવી હોટ એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ બિગ ઓયે એ રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપની વેબસાઇટ છે અને ધમાકેદાર છે. રોજ કંઈ ને કંઈ હોટ મેટર (અને ઓફકોર્સ ફોટા) તેમાં મૂકાતા રહે છે. તેમાં વળી કાશ્મીરા શાહે લવગુરુ તરીકેની કામગીરી શરૂ કરી છે. ખબર નહીં, લોકોના સવાલોના જવાબો તે જ આપે છે કે તેના વતી કોઈ પ્રોફેશનલ વ્યક્તિ આપે છે, પણ આ સવાલ-જવાબ (http://www.bigoye.com/specials/I-love-Sex-Kashmera-Shah/145724?page=6) હોટ છે અને ભવિષ્યમાં ચર્ચા તેમજ વિવાદનો ગરમાગરમ મસાલો બનવાના એંધાણ લાગે છે, બાપુ!
કાશ્મીરાની જેમ અદા શર્મા (http://www.santabanta.com/cinema.asp?pid=29660) અને બીજી ઘણી હિરોઈનો તેમજ હીરો વાઇલ્ડ કન્ફેશન ઘણાં વર્ષોથી કરતાં આવ્યાં છે. એટલે ‘સચ કા સામના’માં નવું કંઈ લાગતું નથી. હા, તેમાં સામાન્ય માનવીને બોલાવાય છે તે એક નવું છે.
(સત્ય અને અસત્ય બંનેની મહત્તા વિશે એક અલગ પોસ્ટ લખવા વિચાર છે, પણ થોડા સમય પછી. તે કલાકોમાં પણ હોઈ શકે ને દિવસોમાં પણ. અને હા, મને યાદ છે, અગાઉના વચન મુજબ, મારે કાદર ખાન વિશે પણ લખવાનું છે. થોડા ઇંતઝાર કા મઝા લિજીયે.)
1 comment 28/07/2009
બીમાર બોલિવૂડ!
ના! આ કંઈ બોલિવૂડની ખરાબ ફિલ્મોના અર્થમાં પ્રયોજાયેલું શીર્ષક નથી. પણ બોલિવૂડમાં અચાનક આવેલી માંદગી છે. (મંદી કોણ બોલ્યું?)

arsad sami khan : father of adnan sami
વિશ્વાસ ન આવતો હોય તો જુઓ, આ રહ્યો પુરાવો. અદનાન સામીના પિતા બીમાર છે. ભૂતપૂર્વ પાકિસ્તાની ડિપ્લોમેટ અર્શદ સામી ખાનને સ્વાદુપિંડના કેન્સર માટે મુંબઈની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની ખબર પૂછવા અમિતાભ બચ્ચન-શાહરુખ ખાન, રાજેશ ખન્ના, સાયરાબાનુ સહિત બોલિવૂડના માંધાતાઓ ઉમટી પડ્યા હતા.
આ જ હૉસ્પિટલમાં જાણીતા નિર્માતા-નિર્દેશક પ્રકાશ મહેરાનું નિધન થયું. તો રાજેશ ખન્નાની સાળી સિમ્પલ કાપડિયા (જેણે રાજેશ ખન્ના સાથે ‘અનુરોધ’ ફિલ્મમાં હિરોઈન તરીકે કામ કર્યું) પણ ખૂબ જ બીમાર છે અને તેને પણ આ જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. નિર્માતા-નિર્દેશક કરણ જોહરની માતા હીરુ જોહરને પણ ન્યૂરો સર્જરી આ હૉસ્પિટલમાં કરવામાં આવી.
બાય ધ વે, કરણ જોહરની માતા હીરુ જોહરને કેમ ન્યુરો સર્જરી કરાવવી પડી હશે? જે ‘મા કા લાડલા બિગડ ગયા’ (ફિલ્મ ‘દોસ્તાના’) હોય તેની માતાને ન્યુરો સર્જરી જ કરાવવી પડે ને! LOL
-
Add comment 17/05/2009
અમિતસિંહની બોલિંગ એક્શન : અમ્પાયરોનો નો બોલ

અમિતસિંહ : ‘તટસ્થતા’ની માનસિકતાનો ભોગ?
આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ વતી રમી રહેલા ગુજરાતના ફાસ્ટ બોલર અમિતસિંહ (સિંઘ ખોટું લખાય છે, એ અંગ્રેજીનો અનુવાદ કરાય છે એટલે. બાકી, સિંહ જ હોય. ગુજરાતીમાં તો ઘણા ‘સિંગ’ લખે છે! બુદ્ધિના સિંગ (શિંગડા) થોડા ઉગે?)ની બોલિંગ એક્શન અમ્પાયરોને શંકાસ્પદ જણાઈ છે. અમ્પાયર ડેરીલ હાર્પર અને કે. હરિહરને આ અંગે અહેવાલ આપ્યો છે. દડો હવે ટૅક્નિકલ સમિતિના મેદાનમાં છે એટલે તેણે નિર્ણય લેવાનો છે. પરંતુ આ જે થઈ રહ્યું છે તે બહુ અન્યાયકારક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘તટસ્થ’ દેખાવાના ઈરાદે થઈ રહ્યું હોવાનું પ્રાથમિક રીતે લાગે છે.
આ અગાઉ રાજસ્થાન રોયલ્સના જ કામરાન ખાન બાબતે પણ આવું જ થયું હતું. ભારતીય ટીમના

મોહનીશ પરમાર (ડાબે) અને મુરલીધરન (જમણે) : બોર્ડના સમર્થનના બે દાખલા
પ્રવેશ દ્વાર ખટખટાવી રહેલ ગુજરાતી બોલર મોહનીશ પરમારને પણ બોલિંગ એક્શનના મુદ્દે જ બાકાત રખાયો છે.
આના મૂળમાં ક્યાંક ભારતીય જનમાનસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ‘તટસ્થ’ દેખાવાની લાલસા કામ કરી રહી હોય તેવું લાગે છે. આ અગાઉ ખૂબ આશાસ્પદ ઓફ સ્પિનર રાજેશ ચૌહાણની બોલિંગ એક્શન વિશે આઈસીસીએ શંકા જાહેર કરી અને તેની કારકિર્દી ઉગતી જ આથમી ગઈ. હરભજનસિંહ વિશે પણ આવું થયું, પરંતુ તે નસીબદાર (અને સરવાળે ભારત પણ) કે તેનું પુનરાગમન શક્ય બન્યું.
ઑસ્ટ્રેલિયા વગેરે બળુકી ટીમો હંમેશા માનસિક સ્તરે જ ‘રમત’ રમતી હોય છે. એટલે તેઓ ભારત કે અન્ય ટીમોના જે સારા બોલર હોય તેની બોલિંગ એક્શન પ્રત્યે શંકા વ્યક્ત કરે અને જો પાસો સવળો પડ્યો તો ફાયદામાં! અને નહીંતર વાંધો નહીં. શ્રીલંકાના ખેલાડી મલિંગા, મુરલીધરનની બોલિંગ એક્શન પ્રત્યે પણ શંકા ઉઠતી રહી છે. મલિંગાની એક્શન તો રીતસર ‘થ્રો’ જ લાગે છે. તેમ છતાં શ્રીંલકા બોર્ડ મક્કમ હોવાથી તેમને ઉની આંચ આવતી નથી.
વર્ષોથી ક્રિકેટ જોતા એક બાબત એ પણ ધ્યાનમાં આવી છે કે અગાઉ પાકિસ્તાનના શકુર રાણા, શ્રીલંકાના અમ્પાયરો વગેરે હંમેશાં પોતાની ટીમની તરફદારી કરતા. ઑસ્ટ્રેલિયા વિશે તો એવું કહેવાતું કે તે અગિયાર ખેલાડીઓથી નહીં, (અગિયાર વત્તા બે અમ્પાયરો) તેર ખેલાડીઓથી રમે છે. જ્યારે સામે પક્ષે ઘણી વાર એવું ધ્યાનમાં આવ્યું છે કે ભારતના અમ્પાયરો વેંકટ રાઘવન વગેરે ભારતમાં મેચ રમાતી હોય ત્યારે ઘણી વાર ખોટી રીતે ભારતના ખેલાડીઓને આઉટ આપી દેતા. એનું કારણ વિરોધી ટીમની અત્યંત દબાણભરી અપીલ (ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો તેમની જોરદાર અપીલ માટે જાણીતી છે)ના દબાણમાં આવી જવું અને બીજું, આંતરરાષ્ટ્રીય સ્તરે, ‘જુઓ, અમે કેટલા તટસ્થ છીએ’ તેવું દેખાડવું હોઈ શકે.
અમિતસિંહની બોલિંગ એક્શન વિશે તો એવું કહેવાય છે કે હરિહરન તેની બોલિંગ એક્શન પાંચ વર્ષથી જોતા આવ્યા છે. આટલાં વર્ષોમાં ક્યારેય બોલિંગ એક્શન શંકાસ્પદ ન લાગી અને હવે એકાએક કેમ લાગી?
જવાબ ફરી ફરીને એક જ આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ‘તટસ્થ’ લાગવાનું. મુદ્દો અલગ છે, પણ ‘સેક્યુલારિઝમ’ બાબતે પણ આવું જ જોવા મળે છે. ભારતમાં ક્યાંક નાનો બનાવ બને (જે કોઈ આવી જ ઘટનાના જવાબમાં હોય) અને અમેરિકા ઇત્યાદિ દેશોનો સહેજ પણ વિરોધી સૂર પ્રગટ થાય એટલે આપણે ત્યાંના બૌદ્ધિકો, એનજીઓ વગેરે બોલવા માંડે.

મલ્લિકા સારાભાઈ ગુજરાત વિશે જૂઠાણાં ફેલાવે છે, ભાઈ!
આ વખતની ચૂંટણીમાં લાલકૃષ્ણ આડવાણી સામે ઊભા રહેલાં નૃત્યાંગના મલ્લિકા સારાભાઈએ મુંબઈના અંગ્રેજી અખબાર ‘મિડ ડે’ને આપેલા ઇન્ટરવ્યૂ (http://www.mid-day.com/poll2009/2009/apr/170409-Mumbai-News-LS-Polls-Mallika-Sarabhai-electoral-campaign-Gandhinagar-Gujarat-L-K-Advani.htm)માં ‘૨૦૦૨ પછી ગુજરાતની સ્થિતિ કેવી બદલાઈ છે?’ તેવા સવાલના જવાબમાં કહ્યું હતું કે ગુજરાતમાં ભયના કારણે મુસ્લિમો આંખમાં આંખ મેળવીને વાત નથી કરી શકતા. ટ્રાફિકને લગતો ઝઘડો રમખાણોમાં ફેરવાઈ શકે છે. ગુસ્સો અને ચિંતાનું સ્તર એટલું બધું ઊંચું છે કે ગુસ્સો સેકન્ડોમાં ફાટી નીકળી શકે છે. ટોળું કાયદો પોતાના હાથમાં લઈને ડ્રાઇવરને પતાવી દઈ શકે છે અને લોકોને લાઇનમાં રાખવા માગતા પોલીસ પર લોકો હુમલો કરી શકે છે.
ટૂંકમાં, ગુજરાતમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. અહીં મુસ્લિમો બહુ ડરેલા છે. એ સિવાયના લોકો બેકાબૂ બન્યા છે, ઝઘડો કરવા આતુર જ હોય છે, કાયદા અને વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ જ નથી તેવું મલ્લિકાનું કહેવું છે.
એટલે અમિતસિંહનો પ્રશ્ન હોય કે ગુજરાતમાં બદલાયેલી પરિસ્થિતિ, હરિહરન અને મલ્લિકા સારાભાઈને ‘તટસ્થ’ દેખાવું છે અને આ કહેવાતી ‘તટસ્થતા’ પોતાના લોકો – સ્વદેશવાસીઓ કે સ્વરાજ્યવાસીઓને નુકસાનકારક હોય તો પણ વાંધો નહીં.
1 comment 10/05/2009
રશ લિમ્બોની ‘આઉટ’સોર્સ્ડ કોમેન્ટ : સ્લમડોગ ભારતીયો!
એક અમેરિકી રેડિયો જોકી, નામે રશ લિમ્બોએ આઉટસોર્સિંગનું કામ કરતા ભારતીયોને સ્લમડોગ કહેતા વિવાદ જાગ્યો છે. આ રશભાઈને અમેરિકામાંથી કામ ભારતમાં ચાલ્યું જાય છે તેના પ્રત્યે સખત ગુસ્સો છે. તે કહે છે, ‘તમે જો એમ માનતા હો કે અમેરિકામાંથી જે કામ ભારતમાં ચાલ્યું જાય છે તે રદ્દ થઈને તમારી (અમેરિકીઓ) પાસે પાછું આવી જશે તો તમે ખાંડ ખાવ છો. એવું બિલકુલ થવાનું નથી.’

રેસિયલ રશ?
રશ રેડિયો જોકી છે તે તો આગળ જ કહી દીધું. રોજ ત્રણ કલાકનો ટોક શો કરતો રશ અને ભારતની રાખી સાવંત વચ્ચે બે વાતે સામ્યતા છે. એક તો બંનેનાં નામો ‘ર’ પરથી છે અને બીજું બંને વિવાદમાંથી કમાણી કરે છે. હા, રશે અગાઉ પણ તેની જીભ થકી વિવાદો ઊભા કરેલા છે. તેણે અમેરિકી પ્રમુખ બરાક ઓબામાની પણ હાંસી ઉડાવી છે અને અભિનેતા માઇકલ જે. ફોક્સને પાર્કિસન્સનો રોગ છે તેની પણ મજાક કરી છે. તે કહે છે, ‘ફોક્સ તેના રોગની અતિશયોક્તિ કરે છે.’
રશને અમેરિકાની રિપબ્લિકન પાર્ટીનો ચહેરો (માસ્કોટ) ગણવામાં આવે છે. તેના કોઈક ગોઠિયાએ તો તેને પક્ષનું નેતૃત્વ લેવા પણ હિમાયત કરી હતી.
પણ રશ ભારતીયોને સ્લમડોગ કહ્યું હોય તો તેનાથી ગુસ્સે થવા જેવું ખરું? ભારતીયોને તો ગમે જ છે વિદેશીઓ અપમાન કરી જાય તે. તેને આ શબ્દ મળ્યો ક્યાંથી? ડેની બોયલેએ બનાવેલી ‘સ્લમડોગ મિલિયોનેર’માંથી જ ને. આ ફિલ્મને તો ભારતીયોએ માથે ચડાવી દીધી છે. હવે રશની ટિપ્પણીને પણ ચડાવે. સ્વાભિમાનશૂન્ય જનતા! સ્વાભિમાનશૂન્ય ટિપ્પણી!
1 comment 16/04/2009
અક્ષય-ટ્વિન્કલ –રાખીનો જય હો!
બેડરૂમનું કામ જાહેરમાં! દુનિયા રી દુનિયા વેરી બેડ બેડ!
બ્રેવો! અક્ષયપત્નીને આમ જ કહી શકાય ને!
સરાજાહેર, બધાની વચ્ચે તેણે એવું કાર્ય કર્યું જે તે બેડરૂમમાં કરતી હશે. આમ તો જોકે તે નટી (અભિનેત્રી) હતી એટલે તેણે ફિલ્મોમાં પણ આવાં બધાં દૃશ્યો ભજવવાં પડતાં હોય અને તે પણ દિગ્દર્શક,કેમેરામેન વગેરેની હાજરીમાં, એટલે તેના માટે આ નવીન કાર્ય નહોતું જ.
કહે છે કે તેણે આ કાર્ય એટલા માટે કર્યું કે તેનો આરાધ્ય પતિદેવ અક્ષયકુમાર અનબટન્ડ નામની લેવિસ જીન્સની રેન્જના જિન્સનું માર્કેટિંગ કે બ્રાન્ડિંગ કરે છે. એટલે કંપનીએ જ આવો કીમિયો વિચારી રાખેલો. પણ અમારા ટિખળી મનમાં સવાલ એ થાય છે કે કાલે સવારે ઊઠીને માનો કે અક્ષય કોઈ સંતાનરોધક ચીજ (કોન્ડોમ)નું બ્રાન્ડિંગ કરતો હોય અને રખે ને તે કંપનીના ભેજાબાજોના મનમાં પણ ‘પ્રોડક્ટ’ને અનુરૂપ કોઈ કીમિયો આવ્યો તો શું અક્ષય અને ટ્વિન્કલ કે પછી તેના બદલે, બીજું કોઈ યુગલ આ કીમિયો જાહેરમાં ભજવશે ખરાં? કરે પણ ખરા. ભાઈ, માર્કેટિંગવાળા શું ન કરાવે? પૂછો અરબાઝ ખાન અને મલાઇકા અરોરા ખાનને. આ યુગલે એક કોફીના માર્કેટિંગ માટે પોતાના છૂટાછેડા થવાના છે તેવી અફવા ફેલાવી હતી.
માર્કેટિંગ કે વિજ્ઞાપનદાતાઓની તાકાત જબરદસ્ત હોય છે. એ ભલભલા મોટા અખબારોના બેનર નીચે ઉતારાવી શકે છે. (બેનર મતલબ, મુખ્ય સમાચાર) સમાચારો અને સિરિયલોમાં વિજ્ઞાપનો એવી ઘૂસણખોરી કરે છે કે સમાચારો કે સિરિયલોમાં વિજ્ઞાપનો છે કે પછી વિજ્ઞાપનો વચ્ચે સમાચારો કે સિરિયલ આવે છે તે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય! એના માટે થઈને તમારે કોઈ ખાસ પૂર્તિ કે સામયિક બહાર પાડવું પડે. (એક જ વિષય,દા.ત. મકાનની સ્કીમની પૂર્તિ બહાર પડે છે તેવી જ રીતે). વિજ્ઞાપનો માટે થઈને તમારે સમાચારમાં પણ સુધારો કરવો પડે. એ મતલબના સમાચાર પણ લખવા પડે. હું એક અખબારમાં હતો ત્યારે એ પૂર્તિમાં એક વિજ્ઞાપન માટે થઈને ખાસ સમાચાર ઊભા કરવા પડતા હતા. માનો કે, ચાની જાહેરખબર છે તો જુદી-જુદી સેલિબ્રિટીઓ પાસે બોલાવવાનું કે તેમનું મનગમતું પીણું ચા છે.

રાખી સાવંત હવે ટીવી પર વર શોધશે!
પૈસા કયા કયા ખેલ ભજવડાવે છે? હવે રાખી સાવંતનું જ ઉદાહરણ લો ને. આઇટમ ગર્લમાંથી સેલિબ્રિટીમાં આવી ગયેલી તે નાના પડદે પોતાનો સ્વયંવર યોજવાની છે અને વળી તેમાં તે ઉદાહરણ સીતામાતાનું આપે છે. (હિન્દુવાદી સંગઠનો સાંભળો છો?) સીતામાતા સ્વયંવર યોજી શકે તો રાખી કેમ નહીં? રાખીને કોણ સમજાવે કે સીતામાતા પતિવ્રતા હતાં જ્યારે તું….!
આ રીતે પુરાણો કે ગ્રંથોમાંથી ઉદાહરણો આપીને પોતે જે કરે છે તે સાચું ઠરાવવાનો એક સરળ રસ્તો જડી ગયો છે…માત્ર રાખી સાવંત જેવી કલાકારને જ નહીં, પરંતુ રાખી જેવું ‘ચીપ’ (યુવાનોમાં સરળતાથી લોકપ્રિય થવા માટે) લખતા લેખકોને પણ! એટલે સેક્સની વાત આવે કે આવા અક્ષય-ટ્વિન્કલ જેવા તમાશા કે પછી ઉત્તર પ્રદેશમાં સ્ટેશન પર ચુંબન કરતા યુગલને રોકવામાં આવ્યા તે વાત પર વારંવાર સંસ્કૃત ગ્રંથોમાંથી ફકરા કે સુભાષિત ટાંકવામાં આવે છે. કાલિદાસની વાતો કરવામાં આવે છે. અરે ઉદાહરણચતુર પંડિતો! એ જ પુરાણો ગ્રંથોમાં શિવજીની આંખથી કામદેવ ભસ્મ થઈ ગયાની વાતો પણ છે. તેની વાત કેમ નથી કરતા? આપણાં શાસ્ત્રોમાં અર્થ અને કામને ધર્મ અને મોક્ષની વચ્ચે મૂકવામાં આવ્યા છે તે કેમ નથી જોતા?
અને સંસ્કૃત તો એક ભાષા છે, જેમ ગુજરાતી એક ભાષા છે તેમ જ. એટલે સંસ્કૃતમાં લખાય તે બધું પ્રમાણભૂત થઈ ગયું? માનો કે, થોડાં વર્ષો પછી ગુજરાતી ભાષા મરી પરવારી તો પછી કોઈ આવો જ નવો ઉદાહરણચતુર પંડિત અત્યારે સંડાસ અને મૂતરડીમાં જેવા ‘સુવાક્યો’ લખાય છે તેને ઉદાહરણરૂપે ટાંકે તો?! જેમ અત્યારે બધાં કાંઈ સંડાસ અને મૂતરડીમાં સુવાક્યો નથી લખતા, તેમ જ સંસ્કૃતનાં જે કંઈ ઉદાહરણો અપાય છે તે પ્રમાણભૂત છે તેવું કોણે કહ્યું? એ જ ગ્રંથો, જેનો તમે હવાલો આપો છો તેમાં એવી વાર્તા પણ આવે છે કે કોઈ સિદ્ધ કે યક્ષ કામક્રીડા કરી રહ્યો હતો અને ઋષિ એ વખતે નીકળ્યા ત્યારે તેને કોઈ લજ્જા ન રહી તો ઋષિએ તેને શ્રાપ આપી દેતા તેની બૂરી વલે થઈ! ભતૃહરિનું ઉદાહરણ બહુ નજીકનું ગણાય. અહલ્યાનો દાખલો પણ બહુ જાણીતો છે. કામુકતા ન રોકી શકવાથી આખું મહાભારત રચાયું તેમ કહીએ તો પણ ખોટું નથી. શાંતનુ મત્સ્યગંધા પાછળ પાગલ બન્યા એમાં દેવવ્રત ભીષ્મ બન્યા. પાંડુ કામુકતા છોડી શક્યા નહીં ને મરણને શરણ થવું પડ્યું. દુ:શાસને દ્રોપદીનાં ચીર હરવા પ્રયાસ કર્યો ને ભૂંડા મોતે મર્યો.
ભૂલાતું ન હોય તો, ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ પુસ્તકની પ્રસ્તાવનામાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ એ લખ્યું છે કે કળિયુગમાં અશ્લીલતા અને અભદ્રતા જ ચારેકોર હશે.
ભલે ત્યારે, અક્ષય-ટ્વિન્કલ –રાખીનો જય હો!
5 comments 11/04/2009
