Posts filed under 'terrorism'
ત્રાસવાદને ખતમ કરવાની ‘શ્રીલંકા સ્ટાઈલ’
ચૂંટણીઓની ધમાધમમાં ઘણા બધા સમાચારો ચૂકાઈ રહ્યા છે. (આમેય આપણા ગુજરાતી અકબારોમાં દેશ-વિદેશના સમાચારો એટલે અમેરિકા અને પાકિસ્તાનના સમાચારો વત્તા સેક્સ સર્વે કે પ્લેબોયના સમાચારો.) આમાંના મહત્ત્વના એક સમાચાર એટલે શ્રીલંકામાં તમિલ વ્યાઘ્રો એટલે કે એલ.ટી.ટી.ઈ.નો શ્રીલંકી સૈન્ય દ્વારા થઈ રહેલો સફાયો.
શ્રીલંકામાં વસતા તમિલોને ત્યાંના સિંહાલીઓ સામે અને સિંહાલીઓના વર્ચસ્વવાળી સરકાર પ્રત્યે ‘૭૦ના દાયકાથી ફરિયાદો રહી છે. આનો ઉકેલ શાંતિપૂર્ણ માર્ગે આવે તે માટે ત્યાં વિવિધ તમિલ સંસ્થા રચાઈ. પ્રંતુ વી. પ્રભાકરનને આ રીતે ઉકેલ આવતો ન જણાતા તેણે હિંસક માર્ગ પકડયો અને ત્રાસવાદી સંસ્થા એલ.ટી.ટી.ઈ.ની સ્થાપના કરી. આ સસ્થાએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ પ્રેમદાસા અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી સહિત અનેક રાજકીય નેતાઓની હત્યા કરી છે અને હિંસક રીતે વિરોધ કર્યે રાખ્યો છે.
જોે વિકિપિડિયા વેબસાઈટ પર આપેલી માહિતીને આધારભૂત માનીએ તો શ્રીલંકા એક સમયે ભારતનો જ ભાગ હતો. તેમાં જે બહુમતી સિંહાલીઓ વસે છે તે મૂળ ઓરિસ્સાના વતનીઓ છે. બ્રિટિશરો અહીંથી તમિલોને મજૂરીકામ માટે ત્યાં લઈ ગયા હતા.
આપણા દેશમાં તમિલ નેતાઓ કરુણાનિધિ અને જયલલિતા તમિલોની મતબેંક માટે એલ.ટી.ટી.ઈ.નું સમર્થન કરે છે અને શ્રીલંકાની પરિસ્થિતિમાં દખલ દેવા કેન્દ્ર સરકારને અપીલ કરે છે પણ તે વાત વાહિયાત છે. તમિલો પ્રત્યે અન્યાય થયો હશે અને થતો હશે તેની ના નથી પરંતુ એલ.ટી.ટી.ઈ. જે કરે છે તે ખોટું છે. તેને સમર્થન હોય જ નહીં. વળી શ્રીલંકામાં તમિલો સ્વાયત્ત પ્રદેશ માગે છે તે પણ ખોટું છે. આ તો કાશ્મીર જેવી જ વાત થઈ.
જેમ યુગાન્ડામાં ઈદી અમીનના અત્યાચારો થયા હતા ત્યારે ઘણા ભારતીયો દેશ છોડી ચાલ્યા ગયા હતા તેમ ન ફાવતું હોય તો દેશ છોડી દો ને. પણ ત્યાં અલગ પ્રદેશ માગવો કોઈ પણ રીતે વાજબી નથી.
અત્યારે શ્રીલંકી સેનાએ એલ.ટી.ટી.ઈ.ને ખતમ કરવાનું જે અભિયાન છેડયું છે તે એકદમ વાજબી અને ભારત માટે ઉદાહરણરૂપ છે. શ્રીલંકા પર અમેરિકા અને સંયુક્ત્ રાષ્ટ્રો સહિત વિશ્વ સમુદાયનું દબાણ છે અને તેને આ સમુદાય તરફથી મળતી આર્થિક સહાયમાં પણ અસર પડે તેમ છે. ઘરઆંગણે થતું નુકસાન તો છે જ. તેમ છતાં તેણે પોતાનું અભિયાન અટકાવ્યું નથી.
ભારતે પણ ત્રાસવાદ અટકાવવો હોય તો શ્રીલંકામાંથી ધડો લેવો જોઈએ.
2 comments 16/05/2009
