09.19.09

કૉંગ્રેસના કરકસરનાં પગલાં : દેર સે આયે દુરસ્ત આયે

Posted in politics tagged , , , , , , , , , , , at 6:54 pm by jaywantpandya

ભલે એ મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, હરિયાણાની આવતા મહિને યોજાનાર  વિધાનસભાની ચૂંટણીના ઉપલક્ષે હોય, પણ કૉંગ્રેસે જાહેર કરેલા કરકસરનાં પગલાં વખાણને પાત્ર તો છે જ. કોઈ તેને દંભ કહે તો દંભ. સ્ટંટ કહે તો સ્ટંટ. જે કહો તે પણ, દેશની વર્તમાન પરિસ્થિતિમાં તે અનિવાર્ય હતાં. હા, એમ કહી શકાય કે તે મોડા જરૂર જાહેર થયાં છે, કેમ કે મંદી તો ક્યારની છે. હા, દુષ્કાળને લીધે પરિસ્થિતિ વધુ વકરી છે.

પરંતુ સત્તાની મલાઈ ખાતા ઘણા મંત્રીઓને અને સાંસદોને પોતાના જલસા ઓછા કરવા નથી. પોતાની સગવડો ઓછી કરવી નથી. એટલે જાહેરમાં તો વિરોધ નથી થઈ શકતો, છાને ખૂણે ગણગણાટ કરવા લાગ્યા છે. જોકે નવાઈની વાત તો એ છે કે કૉંગ્રેસના આ પગલાને, એક સમયે સાદગીને વરેલા પરંતુ અત્યારે ફાઇવસ્ટાર કલ્ચરથી સંપૂર્ણ ગ્રસિત ભાજપે કોઈ સમર્થન નથી આપ્યું. આપ્યું હોત તો તેની પણ પ્રશંસા થઈ હોત. જનતા દળ (યૂ)ના નેતા શરદ યાદવે તો વળી આશ્ચર્ય વ્યક્ત કર્યું કે એકાએક આ પગલાં શા માટે? શરદજી, આ પગલાં એકાએક શા માટે તેનું કારણ તમને સમજાવવું પડે તેમ છે? શું મંદી અને દુષ્કાળની પરિસ્થિતિ તમને દેખાતી નથી?

અંગ્રેજી અખબારોમાં પણ કૉંગ્રેસના આ પગલાંની ટીકા અને હાંસી ઉડાવાઈ રહી છે જે તદ્દન અયોગ્ય અને બિનજરૂરી છે.

હકીકતે, દરેક ક્ષેત્રમાં ગંગા ઉપરથી નીચે તરફ વહેતી હોય છે. શ્રેષ્ઠીઓ અને કહેવાતો ભદ્ર વર્ગ જેવું કરે તેનું અનુકરણ નીચેનો વર્ગ કરતો હોય છે. એટલે કૉર્પોરેટથી માંડીને પેઢીઓમાં પણ સ્ટાફ ઓછો કરવા કરતાં સીઈઓ કે એક્ઝિક્યુટિવ્સનો પગાર, નહીં નહીં તોય માત્ર બે ટકા ઓછો કરે તોય ઘણો ફેર પડે.  વીજળી-પાણી-પેટ્રોલનો ઉપયોગ ઘટાડી, હોટલ-રૅસ્ટોરન્ટમાં જમવાનું ઓછું કરી- બને તો ટાળી, જમવામાં બગાડ ઓછો કરીને ખાસથી લઈને આમ માનવી ઘણા માણસોને આત્મહત્યા કરતા અને પરિણામે ઘણા કુટુંબનો આધાર છિનવતા અટકાવી શકે.

બાકી, કૉંગ્રેસના આ પગલાં (કે પછી સ્ટંટ) દૂરગામી અસર લાવનારાં તો છે જ. (રાહુલ ગાંધીનો વડા પ્રધાન બનવાનો માર્ગ કંડારનાર પણ હોઈ શકે.)

09.07.09

Those who belive in this nation are hindus : Mohan Bhagwat

Posted in rss, sangh parivar tagged , , , , , , , , , at 4:40 am by jaywantpandya

09.02.09

…અને હવે અખબારમાં પણ ગાળ!

Posted in blog, computer, internet, media tagged , , , , , , , , , , , , , , , at 12:36 pm by jaywantpandya

અને હવે અખબારોમાં પણ ગાળ!
‘કમીને’ ફિલ્મ ગાળોના પ્રયોગ માટે ઘણી વખોડાઈ છે (અને આ જ કારણસર ઘણાએ રિયાલિટીના નામે વખાણી પણ છે). ફિલ્મોમાં અપશબ્દો તો ઘણાં વર્ષોથી આવતા હતાં. (કુત્તે, કમીને, હરામઝાદે, સુવ્વર કી અૌલાદ) પણ કાળક્રમે ગાળની પરિભાષા અને તીવ્રતા બદલાઈ રહી છે. એક સમયે હરામી શબ્દ પણ ગાળ ગણાતો હતો. આજે વાતચીતમાં સામાન્ય રીતે બોલાય છે. અત્યારે માબહેન સમાણી ગાળ, ‘લ’, ‘ભ’ અને ‘ચ’ અક્ષર પરથી શરૂ થતી ગાળો ફિલ્મોમાં આવવા લાગી હોય તો તે કદાચ શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’થી. અરે! ‘એલઓસી : કારગિલ’ જેવી યુદ્ધની ફિલ્મમાં પણ ગાળોનો ઉપયોગ થયો હતો. રિયાલિટીના નામે હવે ફિલ્મોમાં સેક્સનાં દ્રશ્યો જેટલો જ કોમન ઉપયોગ ગાળોનો થઈ ગયો છે.
અપશબ્દો કહેતાં આ ગાળો ઇન્ટરનેટ પર મેસેજ બોર્ડમાં કે કોઈ લેખની નીચે કોમેન્ટ રૂપે તો છૂટથી વપરાય છે જ પણ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનાં પત્રકાર અને દેશનાં જાણીતા કોલમિસ્ટ (‘ઇરેટિકા’ ફેમ)માં જેમનું નામ ગણાય તેવાં, પારસી બાનુ બચી કરકરિયાએ તાજેતરમાં તેમની કોલમ કમ બ્લોગમાં એક લેખ લખેલો. લેખનું શીર્ષક, ભાજપમાં ચાલતા ડખા અંગે જાણીતા પત્રકાર તથા ભાજપના હજુ હાંકી નહીં કઢાયેલા સભ્ય અરુણ શૌરીએ જે ટિપ્પણી કરી હતી કે ‘રાજનાથસિંહ ઇઝ એલિસ ઇન બ્લન્ડરલૅન્ડ’ છે, તેના પરથી હતું ઃ ષ્ત્ર્ં દ્દત્ર્ફૂ….જ્ઞ્સ્ન ખ્શ્રજ્ઞ્ણૂફૂ? ભાજપની પરિસ્થિતિ પર લખેલા આ વ્યંગાત્મક લેખના શીર્ષકમાં જ તેમણે ગાળનો ઉપયોગ કર્યો હતો. પારસીઓ ગાળો બોલતા હોય છે. એટલે આ બાનુ પણ ગાળ બોલતા હશે. પરંતુ તેમણે લેખમાં તેનો ઉપયોગ કર્યો એ  અરુચિકર હતું. સ્વાભાવિક રીતે ઓનલાઇન વાચનારાઓને પણ તે પસંદ ન પડ્યું અને કોમેન્ટનો મારો થઈ ગયો. કેટલીક કોમેન્ટ આ પ્રમાણેની હતી :

‘કમીને’ ફિલ્મ ગાળોના પ્રયોગ માટે ઘણી વખોડાઈ છે (અને આ જ કારણસર ઘણાએ રિયાલિટીના નામે વખાણી પણ છે). ફિલ્મોમાં અપશબ્દો તો ઘણાં વર્ષોથી આવતા હતાં. (કુત્તે, કમીને, હરામઝાદે, સુવ્વર કી ઔલાદ) પણ કાળક્રમે ગાળની પરિભાષા અને તીવ્રતા બદલાઈ રહી છે. એક સમયે હરામી શબ્દ પણ ગાળ ગણાતો હતો. આજે વાતચીતમાં સામાન્ય રીતે બોલાય છે. અત્યારે માબહેન સમાણી ગાળ, ‘લ’, ‘ભ’ અને ‘ચ’ અક્ષર પરથી શરૂ થતી ગાળો ફિલ્મોમાં આવવા લાગી હોય તો તે કદાચ શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’થી. અરે! ‘એલઓસી : કારગિલ’ જેવી યુદ્ધની ફિલ્મમાં પણ ગાળોનો ઉપયોગ થયો હતો. રિયાલિટીના નામે હવે ફિલ્મોમાં સેક્સનાં દ્રશ્યો જેટલો જ કોમન ઉપયોગ ગાળોનો થઈ ગયો છે.

અપશબ્દો કહેતાં આ ગાળો ઇન્ટરનેટ પર મેસેજ બોર્ડમાં કે કોઈ લેખની નીચે કોમેન્ટ રૂપે તો છૂટથી વપરાય છે જ પણ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનાં પત્રકાર અને દેશનાં જાણીતા કોલમિસ્ટ (‘ઇરેટિકા’ ફેમ)માં જેમનું નામ ગણાય તેવાં, પારસી બાનુ બચી કરકરિયાએ તાજેતરમાં તેમની કોલમ કમ બ્લોગમાં એક લેખ લખેલો. લેખનું શીર્ષક, ભાજપમાં ચાલતા ડખા અંગે જાણીતા પત્રકાર તથા ભાજપના હજુ હાંકી નહીં કઢાયેલા સભ્ય અરુણ શૌરીએ જે ટિપ્પણી કરી હતી કે ‘રાજનાથસિંહ ઇઝ એલિસ ઇન બ્લન્ડરલૅન્ડ’ છે, તેના પરથી હતું : Who the **** is Alice? (કદાચ બચી એક અંગ્રેજી ગીતના શબ્દોનો ઉપયોગ કરવા ઈચ્છતા હશે.)  ભાજપની પરિસ્થિતિ પર લખેલા આ વ્યંગાત્મક લેખના શીર્ષકમાં જ તેમણે ગાળનો ઉપયોગ કર્યો હતો. પારસીઓ ગાળો બોલતા હોય છે. એટલે આ બાનુ પણ ગાળ બોલતા હશે. પરંતુ તેમણે લેખમાં તેનો ઉપયોગ કર્યો એ  અરુચિકર હતું. સ્વાભાવિક રીતે ઓનલાઇન વાચનારાઓને પણ તે પસંદ ન પડ્યું અને કોમેન્ટનો મારો થઈ ગયો. કેટલીક કોમેન્ટ આ પ્રમાણેની હતી :

Indian says:

August 27, 2009 at 10:31 AM IST

What a great writter you are title itself give the correct impression of yous?

Please try to write decent langauge.

janak says:

August 27, 2009 at 10:38 AM IST

It is very shocking that you are writing abuse! and also being female is very much shocking! I request you to not abusive words.

kunal kumar says:

August 27, 2009 at 12:15 PM IST

I think you should take care of the language you are using in the newspaper,as being a national daily read by all the family members.

Using such a word doesn’t mean that you have got a better command over language or have got more independent thinking.And why did you use “***”, write the complete word.There is no use of using a transparent curtain.A writer of your calibre and stature should understand this.In fact the editor should write an apology in tomorrow’s newspaper.

E. D’Souza says:

August 27, 2009 at 12:55 PM IST

Hello madam, can you please explain what the three asterisks after the alphabet ‘f’ stands for? My five year old daughter is curious to know about it.

Amit says:

August 27, 2009 at 06:51 PM IST

How dare TOI print this blog……i did not read it because at least we are not use to these type of slang laguage in News Paper…..F*** off this ariticle….

Mahesh says:

August 27, 2009 at 11:48 PM IST

TOI, please change the title of this article…

Surya Mishra Derby UK says:

August 30, 2009 at 07:03 PM IST

What is the meaning of f***; what does it stand for in journalistic language context; especially in Indian culture? This speaks how are Indian journalism is picking up from western gutter. Even in West, such distorted language referring to slang are getting shunned; and Indian usage of English language is suppose to be best as it has been preserved and gratified so far being from Original Oxfordian language of English. If we can not understand ‘Alice in blounderland’ then how can we follow f***?

કોમેન્ટ પરથી તો આ લેખનું શીર્ષક આવું હોવું જોઈએ : Bachi in blunderland!

08.30.09

મનમોહન, (લાલ)કૃષ્ણ અને મોહન (ભાગવત )

Posted in national tagged , , , , , , , , , , , , , at 4:52 am by jaywantpandya

manmohan_singh_4001l-k-advaniMohan Bhagwat

અત્યારે દેશની ત્રણ ટોચની વ્યક્તિઓ કૃષ્ણના નામો ધરાવતી વ્યક્તિઓ છે તે રસપ્રદ વાત છે.

વડા પ્રધાન પદે ડૉ. મનમોહનસિંહ છે. તેમનું નામ મનમોહન કૃષ્ણનું એક નામ છે. વિપક્ષના નેતા અને ભાજપના શક્તિશાળી અને સર્વોચ્ચ નેતા  લાલકૃષ્ણનાનામમાં પણ કૃષ્ણનું નામ સમાહિત છે. તે જ રીતે દેશનું શક્તિશાળી સંગઠન રા.સ્વ. સંઘ(આરએસએસ)ના ટોચના અધિકારી એટલે કે સરસંઘચાલક તરીકે બિરાજમાન છે મોહન ભાગવત. તેમનું નામ મોહન પણ કૃ્ષ્ણનું જ એક નામ થયું ને?

છે ને મજેદાર વાત? લાલકૃષ્ણ તો તેમના પક્ષમાં પોતાની હાજરીમાં જ યાદવાસ્થળી જોઈ રહ્યા છે, જ્યારે મોહન (ભાગવત) , કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉંચકીને ગોકુળને જેમ બચાવ્યું હતું તેમ ભાજપ માટે તારણહારની ભૂમિકામાં છે.

મનમોહના બડે સચ્ચે

Posted in bjp, national, politics tagged , , , , , , , , , , , , at 4:26 am by jaywantpandya

ડૉ. મનમોહનસિંહ

ડૉ. મનમોહનસિંહ

ભાજપમાં જે ડખ્ખા ચાલી રહ્યા છે તે ખરેખર તો કૉંગ્રેસ માટે આનંદની વાત ગણાય, પણ ખરી લોકશાહીમાં, ખેલદિલી હોવી જોઈએ. અને તે વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહે બતાવી છે, ભલે તેમના પર ગત લોકસભાની ચૂંટણીમાં માછલા ધોવાયા હોય અને તેમને ‘નિકમ્મા’ કહેવાયા હોય.

તેમણે ભાજપમાં ચાલી રહેલ વિવાદને તેનો આંતરિક વિવાદ ગણાવ્યો છે અને કહ્યું છે કે તે સારી બાબત નથી. દરેક પક્ષમાં સ્થિરતા હોવી જોઈએ. કોલમિસ્ટ ગુણવંત શાહ લખે છે તેમ, તંદુરસ્ત લોકશાહીમાં શાસક- વિપક્ષ બંને સ્થિર હોવા જરૂરી છે.

બીજી વાત મનમોહને કંધાર અને પોખરણ બાબતે પણ કરી છે.

ઘણા મિડિયાપ્યાસા લોકો પ્રસિદ્ધિ માટે કંઈ ને કંઈ ઉધામા કરતા રહે છે. વૈજ્ઞાનિક કે. સંતનમને શૂં સૂજ્યું તે તો ખબર નથી પણ તેમણે કહ્યું કે પોખરણમાં ૧૯૯૮માં કરાયેલાં પરીક્ષણો સફળ નહોતાં. અગાઉ, અડવાણી, જશવંતસિંહ, સંઘ અને કંધાર  : ભૂલ કોની?માં લખ્યા મુજબ, ઘણી વાર પોતાના જ લોકો આપણને નીચા પાડતા હોય છે. પોખરણ બાબતે જે કંઈ સત્ય હોય, પણ દેશહિતમાં તે જાહેર કરવાની જરૂર નહોતી.

વડા પ્રધાન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ યોગ્ય જ રીતે કહ્યું છે કે પોખરણનો વિવાદ બિનજરૂરી ન ઉછાળો.

વડા પ્રધાને કંધાર (તેમના પક્ષ માટે તો ખરેખર આ મોટો પોઇન્ટ છે, ત્રાસવાદના મુદ્દે  ભાજપને ટક્કર આપવા માટે)ના મુદ્દાને પણ ભૂલી જવા શીખ આપી છે.

ખરેખર! ડૉ. મનમોહનસિંહે પરિપક્વતાના દર્શન કરાવ્યા છે.

05.22.09

રાહુલબાબાને જશ અને ભાજપનું ભેંકાર ભાસતું ભાવિ : સત્ય શું છે?

Posted in politics tagged , , , , at 8:50 pm by jaywantpandya

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

રાહુલબાબાની આરતીઓ ઉતારાઈ રહી છે. બિચારા મનમોહનસિંહ, જેમના નામે કોંગ્રેસને મત મળ્યા છે તેમને ભૂલી જવાઈ રહ્યા છે- ખાસ કરીને માધ્યમો દ્વારા. મનના કોઈ ખૂણામાં વાઈરસની જેમ કાયમી ઘર કરી ગયેલી ગુલામીનાં મૂળ જલદી ઉખડે તેમ નથી. એટલે જ કોંગ્રેસ અને માધ્યમોએ ચિંતા રાહુલબાબાને પરણાવી દેવાની કરવી જોઈએ, કેમ કે, તેઓ પરણશે નહીં તો પછી નવો કે નવી વારસદાર ક્યાંથી આવશે? જોકે ઇંદિરા ગાંધી ચીંધ્યા માર્ગે લાવવાનો રસ્તો પણ ખુલ્લો તો છે જ. રાહુલના વારસદારનો પ્રશ્ન અત્યારે છે તેમ ને તેમ ચાલુ રહે તો પ્રિયંકાને રાજકારણમાં તાણી લાવવી. આમેય કોંગ્રેસ તો આ લોકોના પિતાશ્રીની જાગીર જ છે ને!

ચાલો. રમૂજને બાજુએ રાખીએ. કોંગ્રેસની આ જીત બદલ બધા રાહુલ ગાંધીની મહેનત રંગ લાવી તેવું કહી રહ્યા છે, પણ થોડાંક આ પાસાં પર પણ નજર કરીએ તો સત્ય સમજાઈ જશે કે ખરેખર ક્યાં પરિબળોના લીધે કોંગ્રેસ વિજયી બની?

*  બેશક, ઉત્તરપ્રદેશમાં રાહુલ ગાંધીની મહેનત સફળ રહી, પરંતુ તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઇવન ગુજરાતમાં શું થયું?

* તમિલનાડુમાં કરુણાનિધિએ શ્રીલંકામાં તમિલો પર થઈ રહેલા અત્યાચાર, ખાસ કરીને પ્રભાકરનનો મુદ્દો ઉપાડ્યો. ત્રાસવાદી પ્રભાકરનને પોતાનો મિત્ર ગણાવ્યો. હવે જે પ્રભાકરન કોંગ્રેસના એક સમયના વડા- અત્યારનાં વડાંના પતિ અને ભાવિ વડા ગણાતા નેતાના પિતાના હત્યારાને મિત્ર ગણાવતા હોય તેમની સાથે ગઠબંધન કરવામાં કોંગ્રેસને કોઈ વાંધો ન આવ્યો. જોકે  હવે તે જ ડીએમકેએ કોંગ્રેસને પરેશાન કરવાનું શરૂ કરી દીધું છે.  તો  પ્રભાકરન પર જયલલિતા સોફ્ટ રહ્યાં અને કરુણાનિધિએ સમર્થન કર્યું એટલે તમિલનાડુમાં પ્રજા ડીએમકેના પક્ષે રહી. વળી, ત્યાં અભિનેતા વિજયકાંતનો પક્ષ પણ જયલલિતાના પક્ષમાં ભાગ પડાવી ગયો.

* આંધ્રપ્રદેશમાં અભિનેતા ચિરંજીવીનો પક્ષ ભલે ખાસ સફળતા ન મેળવી શક્યો પરંતુ તેણેય કોંગ્રેસને જીતાવવામાં મદદ તો કરી જ.

* કેરળમાં ડાબેરીઓથી ત્રાસેલી પ્રજા પાસે કોંગ્રેસ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો.

* પં. બંગાળમાં અત્યાર સુધી ડાબેરીઓથી ત્રાસેલી પ્રજાના મતો  તૃણમૂળ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ જતા હતા. આ વખતે બંને સાથે મળીને ચૂંટણી લડ્યા. જીત્યા.

* મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની મનસે કોંગ્રેસને ફાયદો કરાવી ગઈ.

* ગુજરાતમાં ગોરધન ઝડફિયા અને સુનીલ ઓઝા જેવા ભાજપના અસંતુષ્ટોનો પક્ષ મહા ગુજરાત જનતા પક્ષ (મજપ) ભાજપના મતોમાં ભાગ પડાવી ગયો અને કેટલાક ઠેકાણે રાતોરાત ભાજપમાં સમાવાયેલા-આયાત કરાયેલા ઉમેદવારોના કારણે ભાજપના પ્રતિબદ્ધ મતદારો-કાર્યકરો  ભાજપથી મોંઢુ ફેરવી બેઠા. આવું ન થયું હોત તો ભાજપને કદાચ ૧૮ બેઠક આરામથી મળી ગઈ હોત.

હવે ભાજપના ભાવિની વાત કરીએ.

ભાજપની વર્તમાન સ્થિત  પ્રકાશ મહેરાની ફિલ્મ ‘હેરા ફેરી’ના દારૂડિયા (અભિનેતા રામ પી. શેઠી)

લાલકૃષ્ણ આડવાણી

લાલકૃષ્ણ આડવાણી

જેવી છે. અમિતાભ જુગાર રમતો હોય ત્યારે વિનોદ ખન્ના તેને બાતમી આપવા જ્યારે જ્યારે જાય ત્યારે કેબિનમાંથી બહાર નીકળતા આ દારૂડિયા સાથે ભટકાય અને પેલો ઉલટો ફરીને ફરી કેબિનમાં દાખલ થઈ જાય!

બીજી રીતે કહીએ તો બાળકોને રમવાની એક રમત સાપસીડી છે. આ રમતમાં ૧૦૦ આંક પર પહોંચો તો જીતી જાવ, પણ તે અગાઉ ૯૯ પર મોટો સાપ મોંઢુ ફાડીને બેઠો હોય. ૯૦ને વટાવી ગયા પછી  મોટા ભાગે એવા પાસા પડે કે તમે ૯૯ પર  પહોંચો તો સડસડાટ ૪૮ કે ૪૦ એવા કોઈ આંકે પહોંચી જાવ.

ભાજપની સ્થિતિ આવી જ બને છે.

૧૯૮૪માં ૨ બેઠકો જીતેલો ભાજપ ૧૯૮૯માં ૮૫ બેઠકે પહોંચ્યો. રામમંદિરનો મુ્દ્દો વેગ પકડી ચૂક્યો હતો. લાલુપ્રસાદ દ્વારા આડવાણીની ધરપકડ, ચંદ્રશેખર સરકારમાં કોંગ્રેસનું વલણ, કારસેવકો પર મુલાયમસિંહ દ્વારા આડેધડ ગોળીઓ ચલાવવી, કોંગ્રેસના બોફોર્સ અને સબમરિન કાંડ વગેરેના કારણે ૧૯૯૧માં તેને સ્પષ્ટ બહુમતી મળે તેવી પૂરી શક્યતા હતી…પરંતુ રાજીવ ગાંધીની હત્યા થઈ. પરિણામે લોકોની સહાનુભૂતિ કોંગ્રેસને મળી. અલબત્ત, તેમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી નહોતી મળી અને ભાજપનો સાવ નિરાશાજનક દેખાવ નહોતો થયો. ભાજપને ૧૨૦ બેઠકો મળી હતી. તે પછી ઉત્તરોત્તર ભાજપની બેઠકો વધતી ગઈ. ૧૯૯૬માં ૧૬૦, ૧૯૯૮માં ૧૮૨, ૧૯૯૯માં લગભગ એટલી જ બેઠકો મળી. ૧૯૯૮માં અને ૯૯માં સત્તા પર આવીને પાંચ વર્ષ પૂરા કરનાર એનડીએ હારશે તેવી કોઈને કલ્પના નહોતી (જેમ આ ચૂંટણીમાં કોંગ્રેસ ૨૦૦ ઉપર બેઠકો મેળવશે અને યુપીએને ડાબેરીઓના ટેકાની જરૂર નહીં પડે તેવી કોઈને કલ્પના નહોતી તેમ જ) પરંતુ એનડીએનો પરાજય થયો. ૨૦૦૪માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે માત્ર સાત બેઠકોનો જ તફાવત રહ્યો. ૨૦૦૯માં આ તફાવત વધીને સોએક બેઠકો  જેટલો થઈ ગયો.

* ભાજપને જો ફરી સત્તામાં આવવું હોય તો તેણે તેની સ્થિતિ દારૂડિયા જેવી નહીં રાખવી પડે. ઘડીકમાં રામમંદિરનો મુદ્દો હાથમાં લીધો ને ઘડીકમાં છોડ્યો, તેવું નહીં ચાલે. કોઈ એક મુદ્દો પકડી લો.  (અહીં રામમંદિર બરાબર હિન્દુત્વ એવું સમજવું.)

* નેતાઓ વચ્ચે વધુ સાંમજસ્ય, સંકલન રાખવું પડશે, જેવું એક સમયે વાજપેયી, આડવાણી અને મુરલી મનોહર જોશી વચ્ચે હતું. પક્ષમાં અત્યારે આ સત્તાની ધરી પણ એકતરફી ઝૂકી ગઈ છે. તે પહેલાંની જેમ સંતુલિત કરવી પડશે.

* શિસ્તવાદી -પ્રમાણિક અને રાષ્ટ્રવાદી છબિ મજબૂત બનાવવી પડશે. જશવંતસિંહ જેવા પક્ષના ટોચના નેતા ચૂંટણી પહેલાં નોટ વહેંચતા પકડાય અને છતાં તેમને ટિકિટ આપી આસામમાં લડવા મોકલાય તેવું ન ચાલે.

* પોતાની બાજુ સબળ હોવા છતાં બચાવની મુદ્રામાં આવી જવાનું ટાળવું પડશે. કંદહાર મુદ્દે ભાજપને બચાવ કરવાનો જ નહોતો. એ વખતે માધ્યમો-ઇલેક્ટ્રોનિક મિડિયા આવી ગયું હતું. વિમાનને દેશથી બહાર જતો રોકી ન શક્યા તે ભૂલ, પણ પછી તો વિમાન અફઘાનિસ્તાનમાં હતું. વળી ઇલે. મિડિયામાં વિમાનમાં અપહૃત મુસાફરોના રોકકળ કરી રહેલા સ્વજનોનાં દૃશ્યો સતત બતાવાતાં હતાં. તે લોકો પણ કમાન્ડર ઓપરેશન કરવા માનતા નહોતા. બધા રાજકીય પક્ષો એક નહોતા. કમાન્ડર ઓપરેશન કરવું પડે તો પણ વિદેશી અને ખાસ કરીને દુશ્મનોના (તે સમયે) પ્રભુત્વવાળી ભૂમિ પર કરવું પડે તેમ હતું. એ સ્થિતિમાં ત્રાસવાદીઓને છોડવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. મુફ્તિ મોહમ્મદ સઈદની દીકરી રૂબિના કરતાં આખી પરિસ્થિત જુદી હતી.

* ‘મિ. નટવરલાલ’ના ગીતની જેમ ઊંચી ઊંચી બાતોં સે કિસી કા પેટ ભરતા નહીં. રામમંદિર જેવી વાત હોય તો અલગ છે કે એક જુવાળ થાય. ગોધરાકાંડ પછી રમખાણો અને તે પછી સેક્યુલરો દ્વારા ગુજરાતીઓને સતત રમખાણો મુદ્દે જ ધિબેડવા (અને ગોધરાકાંડ વિશે એક શબ્દ પણ નહીં બોલવો કે લખવો)ની પ્રવૃત્તિઓ થાય ત્યારે ભાજપને મબલક મતો મળે છે, પરંતુ તેવા મુદ્દા ન હોય ત્યારે? માત્ર હિન્દુત્વના મુદ્દે લોકો મત ન આપે. લોકોને જોઈએ બે ટંકની રોટી. નોકરી પણ જોઈએ. મધ્યમ વર્ગીય પ્રજાને જોઈએ આવકવેરામાં રાહત (જે મનમોહનસિંહની સરકારે આપી). વેપારી વર્ગ તેમનું હિત જુએ. એટલે જ મોંઘવારી આગળ બીજા બધા મુદ્દા નકામા બની જાય છે. ૧૯૯૯ કે તેની આસપાસ ભાજપ દિલ્હીની વિધાનસભા ચૂંટણી હારી ગયો ત્યારે મોંઘવારીના કારણે જ હારી ગયો હતો. તે પછી શીલા દીક્ષિત ગાદી પર જે બેઠાં છે તે હજુ ઉતર્યા નથી અને લોકસભાની બેઠકો પણ જીતી બતાવે છે. એટલે ભાજપે સામાન્ય લોકોના પ્રશ્ન ઉપાડવા પડશે. ૨૦૦૪માં આડવાણીએ એવું કહ્યું હોવાનું યાદ છે કે હવે એવું સૂત્ર આપવું જોઈએ કે રોટી, કપડા, મકાન અને મોબાઈલ એ જરૂરિયાત બની ગયાં છે. સાહેબ! મોબાઈલ વગર ચાલે, પણ રોટી, કપડાં અને મકાન વગર નહીં.  એટલે સામાન્ય લોકોની તકલીફ સમજવી પડે.

* ભાજપ માટે આ ચૂંટણીમાં સ્થિતિ સાવ નિરાશાજનક પણ નથી. કોંગ્રેસની જીતના કારણે માધ્યમો માં વિસરાઈ ગયેલી વાત તો એ છે કે દક્ષિણમાં પહેલી વાર ભાજપે જોરદાર પગપેસારો કર્યો છે. કર્ણાટકમાં તે ૨૮ પૈકી ૧૯ બેઠકો પર વિજયી રહ્યો છે તે જેવી તેવી વાત નથી. ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પણ ભાજપની પડખે રહ્યાં છે જ્યાં મુખ્યમંત્રીઓ સારું શાસન આપી રહ્યા છે.

* આવતી ચૂંટણીમાં જીતવું હોય તો ભાજપે આ રાજ્યોમાં મજબૂત સ્થિતિ જાળવી રાખવા ઉપરાંત હાથમાંથી સરી ગયેલાં પંજાબ, ઓરિસ્સા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ સુધારવા પક્ષીય કામકાજ સુધારવું પડશે, યોગ્ય સાથી પક્ષો શોધવા પડશે. સંગઠનકાર્ય વિસ્તારી દક્ષિણ અને પૂર્વમાં પણ પગ ફેલાવવો પડશે. સાવ ભાંગીને ભૂક્કા થઈ ગયેલા ઉત્તરપ્રદેશના તેના ગઢને ફરીથી ચણવો પડશે.

* ફક્ત સત્તા જ કેન્દ્રમાં ન રાખતા, જરૂર પડે સત્તાને ત્યાગતા-છોડતા પણ શીખવું પડશે. યાદ રહે, ૧૯૯૬માં ૧૩ દિવસની વાજપેયી સરકાર પછી વાજપેયીએ જે રીતે સત્તા ત્યાગી હતી, ૧૯૯૮માં પણ જે રીતે ભાજપનો પરાજય થયો હતો,  કર્ણાટકમાં પણ થોડા સમય પહેલાં જે રીતે ભાજપને -જનતા દળ (એસ)ના દગાથી સત્તા છોડવી પડી હતી તે બધું ભાજપના ફાયદામાં ગયું હતું.

* માત્ર નકારાત્મક – વિરોધ કરવા ખાતર વિરોધ કરવો-ગાળાગાળીવાળો-તિરસ્કારભર્યો-હાંસી ઉડાવતો વિરોધ નહીં-સબળ વિરોધ કરવો પડે. નવેમ્બર ૨૦૦૮માં મુંબઈમાં ત્રાસવાદી હુમલા વખતે મનમોહનસિંહ સાથે આડવાણી ન આવ્યા તે ખોટો સંદેશ આપે.  ચૂંટણી દરમિયાન હાઇટેક પ્રચાર પર ગયા વખતે પણ ભાજપે ભાર આપ્યો હતો અને આ વખતેય. હાઇટેક પ્રચાર શહેરના કેટલાક યુવાનોને જ અસર કરે. શહેરના હજુ ઘણા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ મર્યાદિત અથવા નહીંવત્ કરે છે. ગામડાંમાં તો સાવ નહીંવત્! ત્યાં તો લોકસંપર્ક જ શ્રેષ્ઠ રહે.

એટલે ભાજપે જો ૨૦૧૪માં સત્તામાં આવવું હશે તો તેની પાસે પાંચ વર્ષ (અને અત્યારે ડીએમકેએ જેવા ત્રાગા શરૂ કર્યા છે તેવા તેના અને બીજા પક્ષોના ચાલુ રહેશે તો કદાચ તેથી પણ ઓછા વર્ષ) છે તૈયારી માટે.

તો  રેડી, ગેટ સેટ, ગો!

05.17.09

યુ.પી.એ. કેમ જીત્યો? એન.ડી.એ. કેમ હાર્યો?

Posted in politics tagged , , , , , , , , , , , , , , , at 6:39 am by jaywantpandya

ચૂંટણીનાં પરિણામો આવી ગયા છે. ભલે કૉંગ્રેસના નેતૃત્વવાળા યુ.પી.એ.ને સ્પષ્ટ બહુમતી ન મળી હોય પરંતુ સ્પષ્ટ બહુમતીમાં માત્ર ૧૨ કે ૧૩ સદસ્યો જ ખૂટે છે જે તેને આરામથી મળી શકે તેમ છે. મોંઘવારી, મંદી, ત્રાસવાદ જેવા મુદ્દા હોવા છતાં ભાજપના નેતૃત્વવાળા મોરચા- એન.ડી.એ.નો પરાજય થયો અને યુ.પી.એ.નો ઝળહળતો વિજય. કારણ શું?

(૧) કૉંગ્રેસને પંજાબ, રાજસ્થાન, દિલ્હી, કેરળમાં ઝળહળતી સફળતા મળી છે.  પ. બંગાળમાં વર્ષો પછી તેણે સારો દેખાવ કર્યો છે અને આવું જ ઉત્તરપ્રદેશ વિશે કહી શકાય. 

(૨) પંજાબમાં શિરોમણિ અકાલી દળ (એસ.એ.ડી.) અને ભાજપની સંયુક્ત સરકારનું કામ બોલ્યું નહીં. રાજસ્થાનમાં વસુંધરા રાજે સિંધિયાનું કામ લોકોને પસંદ ન પડ્યું. તેની અસર વિધાનસભા ચૂંટણીમાં પડી અને કૉંગ્રેસની સરકાર આવી. આ અસર લોકસભામાં પણ ચાલુ રહી છે. દિલ્હીમાં શીલા દીક્ષિતના સુશાસનના કારણે લોકોએ તેમને  વિધાનસભામાં ફરી તો ચૂંટ્યાજ પરંતુ સાથે તેમના દીકરા સંદીપ દીક્ષિત સહિત સાતે સાત બેઠક કૉંગ્રેસના ખિસ્સામાં નાખી દીધી. કેરળમાં ડાબેરીઓનું કુશાસન કૉંગ્રેસના ફાયદામાં રહ્યું. પ.બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂળ કૉંગ્રેસ (જે પહેલાં કૉંગ્રેસનો જ ભાગ હતી) અને કૉંગ્રેસનો સાથ રંગ લાવ્યો. ડાબેરીઓના બે દાયકા ઉપરાંતના શાસનથી લોકો  હવે તંગ આવી ગયા છે તે દીવા જેવું સ્પષ્ટ છે. 

 

મનમોહનસિંહ : પ્રમાણિક અને સુશાસક નેતાની છબી વિજય અપાવી ગઈ

મનમોહનસિંહ : પ્રમાણિક અને સુશાસક નેતાની છબી વિજય અપાવી ગઈ

(૩) આ ચૂંટણીમાં કૉંગ્રેસ પ્રેરિત મોરચાના વિજયનો  શ્રેય મનમોહનસિંહની પ્રમાણિક, ઓછા બોલા (ઘણા સારા રાજકારણીઓએ આ વખતે બોલીને બગાડ્યું.) અને સારા શાસકની છબીને તો મળવો જ જોઈએ (તેમનું નામ ભાવિ વડા પ્રધાન તરીકે પહેલેથી ઘોષિત ન કરાયું હોત તો યુ.પી.એ. ને આટલી બેઠકો મળી તે મળી હોત કે કેમ તે એક સવાલ છે.)  આ ઉપરાંત રાહુલ ગાંધીના સંગઠનને બેઠા કરવાના પ્રયત્નોને પણ મળવો જોઈએ. રાહુલ ગાંધીએ કૉંગ્રેસના ધીમેધીમે મરવા પડી રહેલા સંગઠનમાં નવો પ્રાણ પૂર્યો. ચમચા પ્રકારના કાર્યકરો અને ‘ગૂડ ફોર નથિંગ’ જેવા કાર્યકરો અને નેતાઓને હટાવ્યા. (વીરપ્પા મોઈલીને મિડિયા ઇનચાર્જ પદેથી ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનના એકાદ બે દિવસ પહેલાં જ હટાવાયા તે તેનો તાજેતરનો દાખલો છે.) પક્ષમાં સર્વે કરાવ્યો. પક્ષના કાર્યકરોનું સામાન્ય જ્ઞાન ચકાસ્યું; જેમ કે, કેટલા લોકો પક્ષનું બંધારણ જાણે છે? ગુજરાતમાં જેમ યુવા કૉંગ્રેસની ચૂંટણી કરાવી અને તેમાં અશિસ્ત થઈ તો તેના પગલાં ભર્યા તેમ બધે કર્યું. ખાસ કરીને

રાહુલ ગાંધી : સંગઠનને બેઠું કરવાની મહેનત લેખે લાગી

રાહુલ ગાંધી : સંગઠનને બેઠું કરવાની મહેનત લેખે લાગી

 ઉત્તર પ્રદેશમાં વર્ષો પછી જે પ્રકારની સફળતા કૉંગ્રેસને મળી છે તેનો શ્રેય પણ રાહુલબાબાને જ જાય છે. તેમણે દલિતોના ઘરમાં રહેવાનું જે કર્યું, ખેતર ખેડ્યું  (સ્ટંટ કહો તો સ્ટંટ) અને આ બધું ચૂંટણીના ઘણા સમય પહેલાં તેમણે શરૂ કરી દીધું હતું. ઉત્તરપ્રદેશમાં કોઈના પણ સાથ વગર ચૂંટણી લડવાનું નક્કી કર્યું. 

 

 

(૪) મોંઘવારી, મંદી કે ત્રાસવાદનો મુદ્દો ન હતો તેવું નથી, પરંતુ મોંઘવારી તો દરેક શાસનમાં વધી જ છે (સિવાય કે મોરારજી દેસાઈની સરકારના શાસનમાં). મંદીની પ્રમાણમાં ઓછી અસર ભારતમાં દેખાય છે. ત્રાસવાદના મુદ્દો જબરદસ્ત હતો. અફઝલ ગુરુને ફાંસી અપાઈ નથી તે પણ વાત હતી. પરંતુ ભાજપને કૉંગ્રેસે કંદહાર પ્રકરણે બરાબર સાણસામાં લીધો. ભાજપના નેતાઓ તેમાં ગોથા ખાઈ ગયા. જશવંતસિંહ અને અડવાણીના વિરોધાભાસી નિવેદનોએ ગેરસમજ પેદા કરી. ઉપરાંત જ્યાં ત્રાસવાદી હુમલા થયા હતા તેવા દક્ષિણ મુંબઈમાં ઓછું મતદાન થયું. લોકો એવું સમજ્યા કે કૉંગ્રેસ હોય કે ભાજપ ત્રાસવાદને કોઈ નાબૂદ કરી શકે તેમ નથી.

ભાજપનાં પરાજયનાં કારણો : 

(૧) ભાજપે તેના સંગઠનને મજબૂત બનાવવું પડશે. ભાજપમાં નેતાઓ વધુ છે પણ કાર્યકરો ઘટતા જાય છે. બધાને નેતા થવું છે. 

 

લાલકૃષ્ણ આડવાણી : સત્તા કરતાં ધ્યેયલક્ષી કામ કરવું પડશે

લાલકૃષ્ણ આડવાણી : સત્તા કરતાં ધ્યેયલક્ષી કામ કરવું પડશે

(૨) શીર્ષસ્થ નેતાઓ વચ્ચે વધુ સંકલનની જરૂર છે. અરુણ જેટલી અને રાજનાથસિંહ વચ્ચે મતભેદ, જશવંતસિંહ અને અડવાણી વચ્ચે મતભેદ, શેખાવત અને આડવાણી વચ્ચે મતભેદ આ ચૂંટણીમાં શિસ્તબદ્ધ પક્ષની છબીને નુકસાન કરી ગઈ. 

 

(૩) પક્ષના પાયાના કાર્યકરોની અવગણના ટાળવી જોઈએ. ગુજરાતમાં જેમ કિરણ પટેલ, ભાવસિંહ રાઠોડ વગેરેને રાતોરાત ટિકિટ આપી દેવાઈ તેમ શેખાવત જેવા દિગ્ગજ નેતા પણ, જેમને પક્ષે ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા અને એટલે તેઓ પક્ષના સભ્યપદેથી દૂર થયા તેઓ ઉપરાષ્ટ્રપતિપદેથી નિવૃત થાય ત્યારે તેમને ફરી પક્ષમાં સક્રિય કરવા જોઈએ તેના બદલે શેખાવતે એમ કહેવું પડે કે હું તો પક્ષમાં જ નથી, તે કરુણ સ્થિતિ છે. 

(૪) હિન્દુત્વના મુદ્દાને મરજી થાય ત્યારે ઉપાડવો અને મરજી થાય ત્યારે તરછોડી દેવો. પક્ષે નક્કી કરવું પડશે કે આ મુદ્દે જ આગળ વધવું છે કે કેમ. જો  હા તો તે  જ મુદ્દે વળગી રહો. એન.ડી.એ. ની સરકાર હતી ત્યારે પક્ષે રામમંદિર મુદ્દે કંઈ ન કર્યું. ઉપરાંત જેમના ટેકાથી સરકાર બને છે તેવાં સાથી સંગઠનો વિહિપ, રા.સ્વ. સંઘ, ભારતીય કિસાન સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને ખતમ કરવાથી કે તેમની અવગણના કરવાથી પણ પરિણામો પર અસર પાડી શકે છે. 

(૫) દેશમાં એક પેઢી એવી છે જેણે પોતાના ઘરમાં અને સમાજમાં ધાર્મિક ચુસ્તતા (તેને તમે કટ્ટરતા કહો તોય વાંધો નથી) જોયેલી છે; જેમ કે, ૪૦-૫૦ વર્ષો પહેલાં નહાયા વગર રસોડામાં પણ જવાતું નહોતું. પૂજા વગર અન્નનો એક દાણોય મોઢામાં નાખી શકાતો નહોતો.  આ પેઢીના એક વર્ગને એવો ડર છે  કે જેમ તાલિબાનોએ હુકમો છોડ્યા છે કે દાઢી રાખવી,ટોપી રાખવી, સ્ત્રીઓએ બુરખો પહેરવો, સ્ત્રીશિક્ષણ બંધ, ટીવી અને ફિલ્મમનોરંજન બંધ, તેમ  ભાજપ સત્તામાં આવશે તો  તેવું જ થશે. 

અત્યારે એક મોટો વર્ગ અમેરિકી સંસ્કૃતિ અથવા તો ભોગવાદી સંસ્કૃતિમાં માનતો થયો છે. પબ, દારૂ, મોજમજા, ટૂંકાં કપડાં, ફ્રી સેક્સ, સ્વતંત્રતાની અભિવ્યક્તિના નામે સ્વચ્છંતા વગેરે તેને ગમે છે.  કર્ણાટકમાં ભાજપની સરકારના શાસનમાં પબ પર હુમલા થાય છે તે તેને પસંદ નથી પડતું. આ પ્રકારની વિચારસરણીમાં માનતા યુવા કે પછી તેનાથી સિનિયર પેઢીનો વર્ગ એટલે ભાજપને મત આપતો નથી. 

આનું ઉદાહરણ આપી શકાય તેમ છે. ભારતમાં હવે ગે અને લેસ્બિયન, ટ્રાન્સ જેન્ડરો (સ્ત્રીમાંથી પુરુષ અથવા તેથી ઉલટું થયેલા) તથા ટ્રાન્સ સેક્સ્યુઅલોની વિકૃતિ ધરાવનારાઓની સંખ્યા વધતી જાય છે. મુંબઈમાં આવા ગે અને લેસ્બિયનોએ કૉંગ્રેસને મત આપવાનું નક્કી કર્યું હતું. કેમ? તેમનું કહેવું હતું કે આમ તો કૉંગ્રેસ પણ અમારા માટે કંઈ કરતી નથી પરંતુ તેને મત એટલા માટે કે તે ઉદાર અને સહિષ્ણુ છે. (એટલે કે અમારી વિકૃત પ્રવૃત્તિઓને સમર્થન ભલે ન કરે, પણ અટકાવતી તો નથી.) ( http://www.mid-day.com/poll2009/2009/apr/280409gay-lesbian-transgender-Congress-election-general-election-UNAIDS.htm) એટલે આ  પ્રકારના લોકો પણ કૉંગ્રેસને જ મત આપે છે. 

(૬) આ દેશમાં મુસ્લિમોની સંખ્યા ઘણી વધી રહી છે, ખાસ કરીને બાંગ્લાદેશથી અને પાકિસ્તાનથી ઘૂસણખોરોની સંખ્યા વધી રહી છે. કૉંગ્રેસ તથા અન્ય  ’સેક્યુલર’ પક્ષો તેમને રેશન કાર્ડ આપી તેમને પોતાના ‘મતદાર’ બનાવી દે છે. 

(૭) ભાજપે કર્ણાટકમાં ભલે સરકાર બનાવી હોય પણ દક્ષિણ અને પૂર્વમાં તેને હજુ ઘણો પગપેસારો કરવાનો છે. 

(૮) જ્યાં સત્તા મેળવે છે ત્યાં સુશાસન આપીને સત્તા ટકાવતા શીખવું પડશે. ૧૯૯૨-૯૩માં ભાજપ ચાર રાજ્યોમાં શાસન કરતો હતો. પરંતુ જ્યાં પણ સત્તામાં આવે છે ત્યાં સત્તા ટકાવતા શીખવું પડશે. મદમાં છલકાઈ જવાનું બંધ કરવું પડશે. કાર્યકરો અને લોકોનાં કામો કરવા પડે. ગુજરાત એકમાત્ર અપવાદ છે જ્યાં દસ-પંદર વર્ષથી ભાજપ સત્તામાં છે. 

(૯) અંગ્રેજી-હિન્દી અને પ્રાદેશિક અખબારો-ચેનલો (સંયુક્ત રીતે કહીએ તો મિડિયા)માં બેઠેલા ઘણા તંત્રીઓ-પત્રકારો ‘સેક્યુલર’ છે. તેઓ હંમેશાં ભાજપ વિરુદ્ધ ચિત્ર સર્જતા રહે છે. ઉપરાંત ભાજપના નેતાઓ-કાર્યકરો પણ મિડિયાને હંમેશાં અવગણતા રહ્યા છે. પ્રમોદ મહાજન અને અરુણ જેટલીની જેમ ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકરોએ મિડિયા ફ્રેન્ડલી બનવું પડશે અને મિડિયામેનોને પોતાના મિત્રો બનાવવા પડશે.