ઝાપટું પડ્યું ને ખુશ થઈ ગયા
લો, અમે રાજીના રેડ થઈ ગયા
અમારો પગાર ન વધ્યો તો શું
બીજાનો વધવાથી ખુશ થઈ ગયા
આ ઝાપટાથી તો હમણાંની ઠંડક
કાયમી તરસ થોડી છિપાશે?
પડશે અત્યારે તો પછી પાછો આવશે?
અમે પાછા વિચારે ચડી ગયા
તમારા બ્લોગ પર પદ્ય જોઈ સુખદ આશ્ચર્ય થયું. આવાં ઝાપટાં વરસાવતા રહેજો.
મને પદ્યની ટેક્નિકલ ડિટેલ (શાસ્ત્રીય વિગતો અથવા પદ્ધતિસરની રચના) ખબર નથી. એટલે મનમાં સ્ફૂરે તેમ લખ્યું છે. પણ તમારા જેવા સાહિત્યના જાણકારના અભિપ્રાયની આશા રહે અને તમે અભિપ્રાય આપ્યો છે તે જાણી આનંદ થયો. ખૂબી – ખામી જણાવતા રહેજો.
ગદ્ય-પદ્યની માથાકુટમાં પડ્યા વગર ઝાપટાં ચાલુ રાખો.
આભાર.
Jayubhai,
koi pan shabdo ma bhavnani abhivyakti varsadi japta jeviz lage.Krishna ni bansari vagadsho to mitha sur apo ap nikalshe.
મારો બ્લોગ વાંચવા બદલ આભાર.