નીતીશ- મોદી : ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે…

ભાજપ અને જનતા દળ (યૂ) વચ્ચે સત્તર- સત્તર વર્ષોથી મિત્રતાના સંબંધ હતા. જનતા દળ (યૂ) અથવા એમ કહો કે નીતીશકુમારને નરેન્દ્ર મોદીના હાથમાં ભાજપની સત્તા આવે અને તે કરતાંય ભવિષ્યમાં મોદી વડા પ્રધાનના ઉમેદવાર થાય તો તેમને એનડીએના ઉમેદવાર બતાવીને પ્રચાર કરવો પડે અને સત્તા આવે તો તેમની હકુમત નીચે રહેવું પડે તે મંજૂર નહોતું. જે નીતીશે કચ્છમાં આવીને નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને ભવિષ્ય ભાખ્યું હતું કે મોદી ભવિષ્યમાં રાષ્ટ્રીય રાજકારણમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવશે એ જ નીતીશને મોદી આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યા.

ગુજરાતમાં રમખાણો થયા તે પછી બિહારમાં ચૂંટણી પ્રચારમાં મોદીના આવવા પર નીતીશે પ્રતિબંધ મૂક્યો તો સામે મોદીએ એનડીએની રેલીમાં અચાનક સ્ટેજ પર નીતીશને ભેટી પડ્યા ને તસવીરો ખેંચાવી લીધી કે પછી પોતે જાય ત્યારે બિહારના પૂરની આફત માટે ગુજરાતે પાંચ કરોડની સહાય કરવી અને નીતીશ સાથે ભેટી પડતો ફોટા સાથે એ સહાયની જાહેરખબરો છપાવી.

આમ, ભાજપ-જનતા દળ (યૂ)ની મિત્રતા ચાલુ હતી, પરંતુ તેના બે નેતાઓ વચ્ચે મિત્રતા દુશ્મનાવટમાં પરિણમતી જતી હતી. છેવટે આ રવિવારે (૧૬ જૂને) એ મિત્રતા કે પછી પતિ-પત્નીના સંબંધોની જેમ આ સંબંધને જુઓ તો તે છૂટાછેડામાં પરિણમી. ભાજપ તરફથી જનતા દળ (યૂ) પર વિશ્વાસઘાતના આક્ષેપો થયા. તો જનતા દળ (યૂ) વાળાઓએ કહ્યું કે ભાજપના મંત્રીઓએ મંત્રીમંડળની બેઠકમાં આવવાનું જ બંધ કરી દીધું હતું. કંઈ રસ્તો જ નહોતો. નોબત તો એ આવી કે છેવટે આના વિરોધમાં ભાજપે બિહાર બંધનું એલાન આપ્યું અને જે અત્યાર સુધી ખભેખભા મેળવીને લડતા હતા તે બંને પક્ષના કાર્યકરો બાથંબાથી પર આવી ગયા.

વાત રાજકીય ભલે હોય, પણ બધાં ક્ષેત્રોમાં અને અંગત સંબંધોમાં લાગુ પડે છે. રાજકીય વાત એટલા માટે લીધી કે પ્રાસંગિક છે. બાકી, આવું તો વર્ષોથી થતું આવ્યું છે. મિત્રતા કે પતિ-પત્નીના સંબંધો નથી પોસાતા? ભાઈ-ભાઈ વચ્ચે નથી બનતું ને છૂટા પડવું છે? ભાઈ-બહેન કે બહેન-બહેન વચ્ચે કટુતા આવી ગઈ છે? ધંધામાં ભાગીદાર સાથે નથી બનતું? વિચારભેદ મનભેદની કક્ષાએ પહોંચી ગયા છે? તો વાંધો નહીં છૂટા પડી જાવ. પરંતુ છૂટા પડ્યા પછી વાતને એ કક્ષાએ ન લઈ જાવ કે પછી દુશ્મનાવટનો તબક્કો શરૂ થઈ જાય. પણ કેટલાક લોકો એવા હોય જ છે કે પછી વાતને વણસાવે જ છૂટકો કરે. છૂટા પડવા માટે સામેવાળાને જવાબદાર ગણાવીને તેના વિરુદ્ધ વાતો ફેલાવવાનું શરૂ કરે. બંનેના જે સામાન્ય સંબંધીઓ કે સગાવહાલા કે પછી મિત્રો હોય તે ખોટી સહાનુભૂતિ બતાવે કે પેલો/પેલી તારા વિરુદ્ધ આવું કહેતો/કહેતી હતો/હતી. આવામાં જો બીજો જણ કંઈ ન બોલે તો તેને ઉશ્કેરે કે તું મૂંગો રહીશ તો પેલો તને વધુ ને વધુ બદનામ કરશે. પરિણામે બીજો જણ પણ પોતાનો બચાવ કરવા લાગે અને પહેલી વ્યક્તિની વિરુદ્ધ બોલવા લાગે. આમાં પછી સાચીખોટી વાતો ફેલાવા લાગે. થાય એવું કે એ કડવાશભર્યા સંબંધો ઝેરીલા બની જાય.

આ વાતને જો વ્યાપક સ્વરૂપે જોઈએ તો હિન્દુ – મુસ્લિમોના સંબંધો કે સૌરાષ્ટ્રમાં કે પંજાબમાં જે કૌટુંબિક ઝઘડા જોવા મળે છે તેમાં આવું જ હતું. હિન્દુ અને મુસ્લિમ બંને પ્રજા મૂળ તો લાગણીશીલ છે. મિત્રતામાં જાન આપી દેતાંય વિચાર ન કરે. હજુ ગઈકાલે-૧૮ જૂને જ સમાચાર આવ્યા કે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો માટે પૂજાની વ્યવસ્થા મુસ્લિમ બંધુઓએ કરી. હવે પંડિતોને કાશ્મીરમાંથી વિસ્થાપિત કરાયા તે જ પંડિતો માટે મુસ્લિમો આવી લાગણી બતાવે, મતલબ કે વિસ્થાપિત કરનારા મુસ્લિમો બીજા હતા, લાગણી બતાવનારા મુસ્લિમો એમાં નહોતા. મિત્રતા ઝેરીલી દુશ્મનાવટમાં પરિણમે તેનો દાખલો કાશ્મીરનો જ છે.

કાશ્મીર વિશે એક કથા એવી છે કે ત્યાં એક રૂપાળો ને કદ કાઠીએ મજબૂત, ઊંચો એવો બ્રાહ્મણ (પંડિત કહો તોય વાંધો નહીં) યુવાન હતો. ત્યાંના બાદશાહના મહેલ પાસેથી પસાર થતો હતો. ઝરૂખામાંથી શહેજાદીએ તેને જોયો. શહેજાદી તેના પર મોહી પડી. તેણે પેલા બ્રાહ્મણ યુવાન સાથે લગ્નની જિદ પકડી. પણ બાદશાહ ચુસ્ત મુસ્લિમ હતો. તેણે યુવાનને બોલાવીને કહ્યું, “મારી દીકરી તારી સાથે લગ્ન કરવાની જિદ કરે છે. મને કોઈ વાંધો પણ નથી પરંતુ મારી શરત એ છે કે તારે ઈસ્લામ કબૂલ કરવો પડશે. અને હા, એમાં ના પાડવાની કોઈ ગૂંજાયશ નથી. ના પાડીશ તો તારું અને તારા કુટુંબનું ધનોતપનોત નીકળી જશે.”

બાદશાહનો હુકમ કેમ ટાળી શકાય? યુવાને કંઈક વિચારીને પછી આગેવાન બ્રાહ્મણોને પૂછ્યું, “મારે લગ્ન કર્યા વગર કોઈ છૂટકો જ નથી, પરંતુ એક શરતે આપણો ધરમ બચે. હું લગ્ન કરી લઉં ને બાદશાહ બની જઉં પછી મને તમે પાછા હિન્દુ બનાવી દેજો.” આંધળી રૂઢિચુસ્તતાના શિકાર પેલા બ્રાહ્મણોએ ચોખ્ખી ના પાડી દીધી કે વટલાયેલાને અમે પાછા ધર્મમાં નથી લેતા. યુવાનને તો કોઈ છૂટકો જ નહોતો. તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કરીને શહેજાદી સાથે લગ્ન કરી લીધા. થોડા સમય પછી બાદશાહ પણ બન્યો. ફરીથી પેલા બ્રાહ્મણોને વિનવ્યા કે મને હિન્દુ ધર્મમાં પાછો લો. પરંતુ જડ બ્રાહ્મણોએ કોઈ વાત ન સાંભળી ને ટસના મસ ન થયા. કહે છે કે પછી એ યુવાન એટલો ધર્માંધ અને કટ્ટર મુસ્લિમ બન્યો કે તેણે હિન્દુઓની ભારે ખાનાખરાબી કરી.

કહેવાનો અર્થ એ કે પોતાના જ કટ્ટર વેરી બને તેવું ન કરવું. હકીકતે હિન્દુ- મુસ્લિમ હોય કે બીજા કોઈ સંબંધોની વાત હોય પરંતુ બે જણા વચ્ચે સારા સંબંધ ન રહે તે માટે હંમેશાં ત્રીજો જણ જ પ્રયત્નશીલ હોય છે. અને ક્યારેક સંબંધ તોડવો જ પડે તો એ રીતે તોડો કે પાછા ફરવાનો અવકાશ રહે. કેટલાક ફિલ્મ કલાકારોની એક વાત માનવી પડે કે તેઓ છૂટા પડે છે પછી એકબીજા સામે કડવાશ નથી રાખતા. આમિર ખાન અને રીના છૂટા પડ્યાં પછી એકબીજા સામે તેમણે ક્યારેય કોઈ વાત નથી કરી. નહોતું બનતું ને છૂટા પડ્યા છીએ, બસ. સૈફ અલી અને અમૃતા સિંહ વચ્ચે પણ આવું જ છે. આમિર ખાન તો તેના કાર્યક્રમોમાં રીનાને બોલાવે પણ છે અને રીના આવે પણ છે. આમ વર્ષો સાથે લાગણીથી જોડાઈને રહ્યાં હોય તેને કેમ ભૂલી શકાય? આજની યુવાન પેઢી, જેને વાતવાતમાં બ્રેક અપ થઈ જાય છે તેણે આમિર ખાનના દાખલામાંથી શીખવા જેવું છે. ‘તૂ નહીં તો ઔર સહી’નો વિચાર ભલે અપનાવો પણ એ જે ‘તૂ’ છે તેને તમારો કે તમારી દુશ્મન બનાવવા પ્રયાસ ન કરો.

ઘણા પ્રેમીઓ એવા ગાંડા અને એ કરતાંય વિકૃત હોય છે કે જો તેની પ્રેમિકા તેને નકારી દે તો તેના વિરુદ્ધ ફેસબુક પર વિકૃત પ્રોફાઇલ બનાવશે, ક્યાં તો એસિડના હુમલા કરશે કે પછી તેની હત્યા પણ કરી નાખશે?! આવા લોકોને ખરેખર પ્રેમી કહી શકાય? ખરો પ્રેમ હોય તો જેને ચાહતા હો તેને કુરૂપ કરવાનો કે તેની હત્યા કરવાનો કે તેને બદનામ કરવાનો વિચાર જ કેવી રીતે આવે? એનું ભલું વિચારવાનું હોય. એ સુખી થાય તેવી કામના કરવાની હોય. એવું જરૂરી નથી જ કે તમે જેને ચાહો તે તમને ચાહે. તો પછી આ ગાંડપણ શા માટે? સામે પક્ષે યુવતીએ કે યુવકે એ ધ્યાન પણ રાખવાની જરૂર છે કે તમારી મિત્રતા કે તમારી ચેષ્ટાઓ (ભેટી પડવું કે અન્ય કોઈ ચેષ્ટા)ના કારણે તમને કોઈ તમારો પ્રેમી કે પ્રેમિકા સમજી ન લે. વિજાતીય મિત્રતામાં પણ અમુક મર્યાદા તો હોવી જ જોઈએ. જોકે એનો અર્થ કોઈ એકતરફી પ્રેમીને કે પ્રેમિકાને વિકૃતિની હદે જવાની છૂટ નથી આપતો.

ખેર, મિત્રતા હોય કે રાજકીય સંબંધ, જ્યારે સંબંધ તૂટવાની અણીએ હોય ત્યારે વર્ષો જૂની ‘ગુમરાહ’ ફિલ્મના ગીતના શબ્દોને ધ્યાનમાં રાખવા:

ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેં હમ દોનો

 ના મૈં તુમ સે કોઈ ઉમ્મીદ રખૂં દિલનવાઝી કી (કોઈ અપેક્ષા ન રાખવી)

ના તુમ મેરી તરફ દેખો ગલત અંદાઝ નઝરો સે (જેનો ખોટો અર્થ નીકળે તે રીતે ન જોવું, ચેષ્ટા ન કરવી)

ન મેરે દિલ કી ધડકન લડખડાયે મેરી બાતોં સે (હૃદયને કાબૂમાં રાખવું)

ના જાહિર હો તુમ્હારી કશ્મકશ કા રાઝ નઝરોં સે

 તારુફ રોગ હો જાયે તો ઉસકો ભૂલના બહેતર (સંબંધોને ભૂલી જાવ, ગઈ ગુજરી વિસરી જાવ)

તાલ્લુક બોજ બન જાયે તો ઉસકો તોડના અચ્છા (સંબંધ બોજ લાગતો હોય તો તોડી નાખો, પણ….)

વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન (સંબંધ કે કાર્ય જે લાંબો સમય ન થઈ શકે તેમ હોય તે)

ઉસે એક ખૂબસૂરત મોડ દે કર છોડના અચ્છા (એને હસતા હસતા, ભવિષ્યમાં મળો તો પાછા સારી રીતે મળી શકાય તેમ છોડી દો)

 રાજકીય મુદ્દા પર પાછા ફરીએ તો, જો ભાજપે  જનતા દળ (યૂ) સાથે કોઈ સંઘર્ષ વગર સંબંધ છોડી દીધો હોત તો વાંધો ન આવત. ભવિષ્યમાં સાથે આવવાના દરવાજા પણ ખુલ્લા રહેત. પરંતુ હવે એવું લાગે છે કે આ બંને પક્ષો ક્યારેય સાથે નહીં આવી શકે. જોકે આ રાજકારણ છે. અહીં કઈ પણ થઈ શકે.

ભાજપે આ બાબતે કોંગ્રેસ પાસેથી શીખવા જેવું છે. (આમ તો કોંગ્રેસનો વિરોધ કરતાં કરતાં તે કોંગ્રેસ જેવો જ થઈ ગયો છે.) કોંગ્રેસમાંથી અનેક લોકો છૂટા પડ્યા. પણ કોંગ્રેસે કોઈના પ્રત્યે કડવાશ નથી રાખી. જો એવું હોત તો કોંગ્રેસ અને તેમાંથી છૂટા પડેલા શરદ પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી) વચ્ચે આટલા વર્ષોથી જોડાણ અને તેના કારણે સત્તા ન રહી હોત. જો એવું હોત તો કોંગ્રેસ અને તેમાંથી છૂટા પડેલાં મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જોડાણ થઈને આટલા વર્ષો સત્તા ન રહી હોત અને કદાચ એ હદે પણ કહી શકાય કે તો મમતા પશ્ચિમ બંગાળમાં સત્તામાં પણ ન આવી શક્યાં હોત. જનતા દળ પણ બન્યું છે તો કોંગ્રેસમાંથી જ. વીપી સિંહ મૂળ તો કોંગ્રેસી જ હતા ને. પણ લાલુ-મુલાયમ, અજિતસિંહ વગેરે કોંગ્રેસ સાથે જઈ શકે છે, કારણ કડવાશ નથી.

ભાજપ સાથે એવું નથી બનતું. શંકરસિંહે બળવો કર્યો તો આત્મારામનું ધોતિયું ખેંચીને એ હદે પરિસ્થિતિ લાવી દીધી કે શંકરસિંહ ભાજપમાં પાછા જ ન ફરે. સુરેશ મહેતા કે કેશુભાઈ પટેલ સાથેય એવું જ થયું. ભૂતકાળમાં બલરાજ મધોક કે ગોવિંદાચાર્યના આવા જ હાલ કરાયેલા. આ એક કડવું સત્ય છે. હવે જનતા દળ (યૂ)થી છૂટા પડ્યા છે તો તેની સાથે એવું વર્તન કરાઈ રહ્યું છે કે બંને એકબીજાના કટ્ટર દુશ્મન બની જશે. કોઈ ભાજપ પ્રેમી કદાચ દલીલ કરી શકે કે કોંગ્રેસ અને શરદ પવાર કે કોંગ્રેસ ને મમતા તો સત્તા માટે સમાધાન કરે છે તો તેનો જવાબ એમ છે કે ભાજપને પણ સત્તા તો જોઈએ જ છે. સત્તાની સાઠમારી તો આ પક્ષમાં પણ છે જ. તો પછી સત્તા મળે તે માટે સંબંધોને સારા રાખીને જનતા દળ (યૂ)થી છૂટા પડ્યા હોત તો?

ફરી ફરીને એક જ વાત કરવી છે. રાજકારણ હોય કે મિત્રતા, પ્રેમ હોય કે દાંપત્યજીવન કે પછી વ્યવસાયમાં ભાગીદારી…ન બનતું હોય તો પહેલાં સમાધાન કરીને સંબંધ ટકાવવા પ્રયાસ કરવો. અને હા સમાધાન બંને પક્ષે હોય તે પણ જરૂરી છે. એક જ પક્ષે સમાધાન થતું આવશે તેવો સંબંધ લાંબો નહીં ટકે. આપણો સમાજ સહજીવનનો છે. અહીં પરોપજીવી (બીજા પર જીવતા હોય) પ્રકારનો સંબંધ બહુ લાંબો નહીં ચાલે. બે જણમાંથી એક જણ જતું કરે તો બીજાએ પણ જતું કરવું જોઈએ. જો લાંબો સમય સમાધાનથી પણ સંબંધ ટકે તેમ ન લાગતું હોય તો હસીખુશીથી છૂટા પડો પરંતુ બંને જણની લડાઈમાં ત્રીજો ફાવી જાય તેવો અવકાશ ન રાખો. ફરીને આ શબ્દો યાદ અપાવું :

વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન

ઉસે એક ખૂબસૂરત મોડ દે કર છોડના અચ્છા

મોદી વિ. અડવાણી : સર્જનહારને જ્યારે સર્જન સામે લડવાની નોબત આવે

અત્ર, તત્ર, સર્વત્ર, નરેન્દ્ર મોદી વિ. લાલકૃષ્ણ અડવાણીની લડાઈની ચર્ચા છે. આ લડાઈને ચેલા વિ. ગુરુની લડાઈ પણ કહેવાય છે. જોકે શિષ્ય અને ગુરુની લડાઈનો આ પહેલો બનાવ નથી.

આપણે અર્જુન અને તેમના ગુરુ દ્રોણ વચ્ચેની લડાઈ વિશે સુપેરે જાણીએ છીએ વ્યાપક અર્થમાં આપણે સર્જનહાર અને તેના પોતાના જ સર્જન વચ્ચેના સંઘર્ષનું નામ પણ આપી શકીએ. જેમનું સર્જન પોતે કર્યું, જેમને પોતે મહાન બનાવ્યા અથવા જેમને પોતે મોટા કર્યા તેની વિરુદ્ધ જ લડવું પડે! મેં ક્યાંક હનુમાનજી અને શિવ વચ્ચેની લડાઈનું પણ વાંચ્યું હતું. એ તો જાણીતી વાત છે કે હનુમાનજી શિવજીના અંશાવતાર ગણાય છે.

એ શિવજી જ હતા જેમણે રાવણને વરદાન આપ્યું હતું પરંતુ રાવણનો ત્રાસ એટલો વધી ગયો કે શિવજીએ હનુમાનજી તરીકે અવતરીને પોતાના જ શિષ્ય અથવા ભક્તનો વધ કરવા અવતરવું પડ્યું. એ અલગ વાત છે કે તેમણે પોતે રાવણનો વધ નહોતો કર્યો પણ તેને મારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હા, રાવણની સોનાની અને સમૃદ્ધ લંકાનું દહન તેમણે જરૂર કર્યું હતું.

આવું જ બીજું એક ઉદાહરણ ભસ્માસૂરનું છે. શંકર ભગવાને તેને અમરત્વનું વરદાન આપ્યું હતું. પરંતુ ભસ્માસૂર જ્યારે વિનાશક બની ગયો ત્યારે ભગવાને તેને મારવા આવવું પડ્યું. ‘રોબો’ ફિલ્મ (રજનીકાંત અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનિત)માં રોબોટ સર્જનાર પ્રોફેસરને જ તેની સામે લડવાનું આવે છે.

અહીં કહેવાનો અર્થ એ નથી કે મોદી ત્રાસરૂપ બની ગયા છે જેથી અડવાણીએ પોતાના જ શિષ્ય અથવા પોતાના જ સર્જનની સામે લડવા મેદાનમાં આવવું પ ડ્યું, પરંતુ જ્યારે ગુરુ (સર્જનહાર) અને શિષ્ય (સર્જન)નાં હિતો જ્યારે સમાન હોય છે ત્યારે તેમની વચ્ચે સંઘર્ષની શક્યતા વધુ હોય છે.

બોલિવૂડમાં આવા કેટલાંક ઉદાહરણો જોવા મળી જશે. પ્રકાશ મહેરાએ એંગ્રી યંગ મેન તરીકે અમિતાભને સર્જ્યો. પરંતુ બાદમાં તેમના બંનેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. સુભાષ ઘઈએ મહિમાને એવી તક આપી જેની ઘણી યુવતીઓને શોધ હોય છે અને ‘પરદેશ’ ફિલ્મથી રાતોરાત સ્ટાર બનાવી દીધી. પરંતુ  બાદમાં બંનેનો ઝઘડો અદાલત સુધી પહોંચ્યો હતો.

જો તમે માતાપિતાને સર્જનહાર અને બાળકોને સર્જન તરીકે લો તો તમને જણાશે કે માતાપિતા અને બાળકો વચ્ચેની લડાઈના પ્રમાણમાં વધારો જ થતો રહ્યો છે. તે પછી અભિનેત્રી નૂતનની તેમની માતા શોભના સમર્થ વચ્ચેની લડાઈ હોય કે અમીષા પટેલની તેના માતાપિતા વિરુદ્ધની ફરિયાદ.

ઘણા કિસ્સાઓમાં લડાઈ બે પેઢી વચ્ચે વિચારોના મતભેદ, જેને જનરેશન ગેપ કહે છે, તેના કારણે થાય છે. માતાપિતા/ગુરુ/સર્જનહાર તેમની પોતાની રીતે કામ કરવા માગતા હોય જ્યારે બાળકો/શિષ્ય/સર્જનના વિચારો જુદા હોય. આથી લડાઈ સ્વાભાવિક છે. હું ૯૦ના દાયકા પછીના સમયને અશિસ્તનો સમય કહું છું. તે પહેલાં, મોટા ભાગના કિસ્સાઓમાં બાળકો/શિષ્યો માતાપિતા/ગુરુ સાચા હોય કે ન હોય તેમનું કહ્યું માનતા હતા. ૯૦ના દાયકા પછી રાજકારણ, રમત કે સિનેમા દરેક ક્ષેત્રમાં અશિસ્તનું પ્રમાણ વધી ગયું છે.

એ નોંધવું રહ્યું કે દરેક કિસ્સામાં કંઈ માતાપિતા/ઘરડાઓ સાચા નથી હોતા. પ્રહલાદ કે વિભિષણ કે પછી પાંડવો તેમનાં માતાપિતા કે મોટેરાઓ સામે સાચા હતા. આવા કિસ્સામાં યા તો અહંકારના કારણે અથવા તો પછી સત્તાની મમતના કારણે માતાપિતા/ઘરડાઓ સત્તા, ઘરનો વહીવટ કે સંસ્થાનો વહીવટ પોતાના હાથમાં રાખવા માગે છે, પછી ભલે તેઓ ઘર કે સંસ્થાને ખાડામાં નાખે.

અડવાણી વિરુદ્ધ મોદીના કિસ્સામાં, એ દેખીતું છે કે અડવાણી બે સામાન્ય ચૂંટણી (૨૦૦૪ અને ૨૦૦૯)માં ભાજપને કે એનડીએને વિજય અપાવવામાં નિષ્ફળ ગયા હોવા છતાં ભાજપની લગામ પોતાના હ થમાં રાખવા માગે છે, બીજી બાજુ નરેન્દ્ર મોદીએ એક પછી એક વિજય અને સતત વધતી લોકપ્રિયતા દ્વારા પોતાને ચડિયાતા સાબિત કરી દીધા છે. હવે જોઈએ કે આ બંનેની લડાઈમાં ઇતિહાસ કોને વિજયી બનાવે છે અને કોને સાચા સાબિત કરે છે?

Advanijee : Bhism had not made right decisions when he should have

I know it is very risky to praise the person who is defeated. People always worship rising sun. But I would take risk it and write about Advanijee.

L.K. Advani may perhaps find himself in situation like Bhisma was in Mahabharat as he has written on his blog. But there is no ‘Cheer Haran’ of Draupadi in case of BJP the party which strengthened by Advanijee.
I like this stalwart leader very much not only for his contribution in making BJP no. 2 party, but his statements and issues raised by him also. My father Shree Gajendrabhai used to say that Advani is the person who always speak after giving very much consideration. Some blame Advani for defeat in Karanatak, 2013 ( I know in English it is wronly spelled as Karnataka) as he forced Yediyurappa from CM post. But Advanijee is not the person who just preaches. He had sat example by himself when his name was involved in Hawala case and he resigned as MP. He or his family members remained clean from corruption.

And I think if BJP had forced CM Yediyurappa to resign very early then may be fate of BJP in Karnatak would be different. Issues such as black money and compulsory voting and regarding E.V.M.s are raised by Advani. Truely speaking, Advanijee is very academic person. In most cases he is right in raising issue, but he is weak in oratorial skills – the field in which Modijee is far more superior.

Advanijee may be thinking that he has not given his life to party for the day when Modi supporters demonstrated against him before his house but he should think about past also.

When Advanijee and Ataljee made compromises like dropping BJP’s ideological issues like Ram Janmabhoomi or Article 370 or Uniform Civil Code for getting power in 1998, many followers of Sangh and BJP felt same pain as Advanijee is feeling at this time. Nanajee Deshmukh was not happy with Advanijee. Balraj Madhok was also thrown out of BJP in Advanijee’s days.

When Advanijee was deputy prime minister and home minister in NDA government, if he and Ataljee had shown courage like they showed in 1996 (when Ataljee resigned and walked out of parliament) and could have declared Ram Mandir Temple construction or supported Mahant Ramchandra Paramhans and even then if government had fallen, Advanijee and Vajpayeejee could make BJP to get majority on its own. Kandahar episode and attack on parliament were also blot on Advanijee being number 2 in NDA government.

When Ataljee was leading BJP, he was considered secular face of BJP and Advanijee was considered hardcore Hindutva face, but after 2004, Ataljee fell ill. So Advanijee thought that he could take place of Ataljee and for that he tried to walk on secular path and praised Mohammad Ali Jina (I know spelling written popularly is Jinnah, but actual name is Jina.). This was very wrong. I was shocked when stalwart leader like Advanijee stated : now it is time for slogan- Roti, Kapda, Makaan aur Mobile. He could not understand common people’s troubles. He gave approval for ‘India Shining’ campaign run by late Pramod Mahajan. (BTW, Narendra Modi is also follwoing path of Pramod Mahajan and giving full rosy picture.) In 2004, election was fought in Advanijee’s leadership, but he failed to get victory.

In 2009, it was perfect time that Advanijee should have given leadership to Modijee, but he choose not to give away. Although corporate sector was largely with Modijee. Again, election was fought under leadership of Advanijee and Advani again lost.

Now if in 2013, after so many victories in Gujarat, and after Modi won hearts by way of addressing Sri Ram College or addressing business fraternity in Kolkata, if Modi had not given leadership of BJP at national level, it could be biggest blunder. Blunder is avoided, but Advani is not ready to bow down.

As I was writing this blog post, news came that Advanijee has resigned from all posts of BJP. I think Advani will again make BJP defeat in next election.
One proverb is coming in my mind for this situation : Ghar foote ghar jay!

 

પત્ની અને સ્માર્ટ ફોન વચ્ચે સામ્યતા!

તેરી ગહેરી આંખોં મેં ડૂબ જાને કો જી કરતા હૈ
તુઝે ના દેખું તો ચૈન મુઝે આતા નહીં હૈ
તેરે બિના એક પલ ભી મૈં રહ નહીં સકતા….

આ બધી પંક્તિઅર્ધ કંઈ પત્ની કે પ્રેમિકા માટે જ લાગુ નથી પડતી, પણ સ્માર્ટ ફોન માટેય લાગુ પડે છે.
પણ પત્ની અને સ્માર્ટ ફોન વચ્ચે કોઈ સામ્યતા ખરી?
હા, ખરી ને.
બંને મોંઘા પડે છે!
બંને ખર્ચાળ હોય છે.
છતાં બંને વગર જરા પણ ચાલતું નથી.
બંને મનોરંજન પણ ઘણું પૂરું પાડે છે.
બંને સતત બકબક કરતા રહે છે.
બંને દેખાવે સુંદર અને દિમાગથી હોશિયાર છે. આપણી વાત વગર કહ્યે જાણી જાય છે.
બંનેની બેટરી સતત ચાર્જ કરવી પડે છે. પત્નીના વખાણ કરીને અને સ્માર્ટ ફોનને પાવર કનેક્શન આપીને.
બંને સાથે હોય તો વટ પડે છે, પણ બંને હંમેશાં બીજાના જ સારા લાગે છે.
બંનેના કારણે તમે સમાજ સાથે ‘કનેક્ટેડ’ રહો છો.
બંનેને બહુ સંભાળીને રાખવા પડે છે.
બંનેને સમજવામાં આખી જિંદગી ચાલી જાય છે.
અને બંને ક્યારે બગડશે તે કહી ન શકાય.

‘ઇમ્તિહાન’ અને ‘હમરાઝ’ : ચાહા તો બહોત ના ચાહે તુમ્હેં

કેવા સુંદર શબ્દો આ વિસરાયેલાં ગીતના છે : ચાહા તો બહોત ના ચાહે તુઝે, ચાહત પે મગર કોઈ ઝોર નહીં, દિલ હી તો હૈ, તુમ પે આ હી ગયા, દિલ કા સનમ યે કુસૂર નહીં,

પેશ -એ – ખિદમત હૈ દૂસરા ગાના. ‘દો બાતેં હો સકતી હૈ, સનમ તેરે ઇનકાર કી, યા દુનિયા સે તૂ ડરતી હૈ, યા કદર નહીં મેરે પ્યાર કી…’

એક અદ્ભુત શૃગાંરિક ગીત હતું – ‘ધીરે ધીરે ચોરી ચોરી હોલે હોલે દિલ યે બોલે હોને દે પ્યાર’,  રવીના લાલ ચટ્ટાક સાડીમાં અને સન્ની લીંબુ રંગના શર્ટમાં કેટલા સરસ લાગે છે!

આજે ફિલ્મ  ’ઇમ્તિહાન’ની વાત કરવી છે.  તેનું એક બીજું ગીત હતું – ‘ઇસ તરહ આશિકી કા અસર છોડ જાઉંગા’. ખબર નહીં કેમ પણ આ ગીત ફિલ્મમાં બે અવાજમાં હતું – કુમાર શાનુ અને અમિત કુમાર. હવે કુમાર શાનુ અને અમિતકુમાર બંને વોઇસ ઓફ કિશોરકુમાર. પણ કુમાર શાનુ ભદ્દી નકલ કરે જ્યારે અમિતને તો કુદરતી જ કિશોરનો કંઠ મળ્યો હતો કારણ તે તેનો દીકરો. સ્વાભાવિક જ અમિતકુમારના અવાજમાં આ ગીત વધુ સારું લાગે છે. (ગીતકાર ફૈઝ અનવર છે.)

એ સમય કર્ણપ્રિય અને અર્થપૂર્ણ શાયરીવાળા ગીતનો હતો. ‘પૂનમ’ ફિલ્મ અને તે પછી ‘સોહિની મહિવાલ’માં સુમધૂર સંગીત આપ્યા બાદ અનુ મલિક ઢીંચક ઢીંચક ને ઘોંઘાટિયા સંગીતના રવાડે ચડી ગયા હતા, પણ તે પછી પછડાટ ખાધી અને મહેશ ભટ્ટે ‘આવારગી’માં ‘બાલી ઉંમરને મેરા હાલ વો કિયા’ જેવું સુમધૂર ગીત કઢાવ્યું. પછી અબ્બાસ મસ્તાનની ‘બાઝીગર’થી અનુ મલિક ફરી કર્ણપ્રિય સંગીત તરફ વળ્યા.

વળવું પડે તેમ પણ હતું કારણકે નદીમ શ્રવણ અને આનંદ મિલિન્દ જેવા સમકાલીન સંગીતકારો સુમધુર સંગીત પીરસી રહ્યા હતા જે જનતાને વધુ માફક આવી રહ્યું હતું. અને અનુએ ‘તહલકા’ (દિલ દિવાને કા ડોલા દિલદાર કે લિયે, આપ કી ટોપી, આપ કા ચશ્મા મૌલા હી મૌલા, અલ્લાહ હી અલ્લાહ), ‘ફિર તેરી કહાની યાદ આઈ’ (તેરે દર પર સનમ ચલે આયેં, આનેવાલા કલ એક સપના હૈ, શાયરાના સી હૈ મેરી ઝિંદગી, દિલ દેતા હૈ રો રો દુહાઈ’), ‘સર’ (સૂન સૂન બરસાત કી ધૂન- અલબત્ત એ ગીત ‘ઇન્સ્પાઇર્ડ’ છે, સર વી લવ યૂ), ‘ચમત્કાર’ (ઇસ પ્યાર સે મેરી તરફ ના દેખો, પ્યાર હો જાયેગા), ‘વિજયપથ’ (રાહ મેં ઉનસે મુલાકાત હો ગઈ, જિસ કા ડર થા વો હી બાત હો ગઈ, સાગર સંગ કિનારે હૈ, ફૂલો સંગ બહારે હૈ, આઈયે આપ કા ઇંતઝાર થા), ‘ખુદ્દાર’ (સેક્સી સેક્સી મુઝે લોગ બોલેને બાદ કરો તો તુમ સા કોઈ પ્યારા કોઈ માસૂમ નહીં હૈ, ક્યા ચીઝ હો તુમ ખુદ તુમ્હે માલૂમ નહીં હૈ, વો સૂરત હી ક્યા તેરી સૂરત નહી જિસ મેં) વગેરે ફિલ્મોમાં કર્ણપ્રિય સંગીત આપેલું. આ સિલસિલો સુભાષ ઘઈની ‘યાદેં’ અને શાહરુખની ‘અશોક ધ ગ્રેટ’ સુધી જળવાયો પણ પછી અનુ ખોવાઈ ગયા…મતલબ કે સંગીત તો હજુય આપે છે, પર વો બાત નહીં….

‘ઇમ્તિહાન’ ફિલ્મ મૂળ તો રાજકુમાર, સુનીલ દત્ત અને વિમીની ‘હમરાઝ’ ફિલ્મની રિમેક હતી. જેમાં ‘કિસી પથ્થર કી મૂર્ત સે ઈબાદત કા ઈરાદા હૈ પરશતીશ કી તમન્ના હૈ, તુમ અગર સાથ દેને કા વાદા કરો, નીલે ગગન કે તલે, ના મુંહ છુપાકે જિયો જેવા સુંદર અર્થસભર ગીતો હતા. પણ એ વખતે રિમેકના નામે માર્કેટિંગ કરીને રસ ઊભો કરી ફદિયા ગણી લેવાનું આજના જેવું ચલણ નહોતું. ઉલટું એવું કોઈ કહે કે આ તો ફલાણી ફિલ્મની કોપી (રિમેક) છે એટલે નીચું જોવા જેવું થતું. અને એ વખતે એવું ચલણ પણ નહોતું કે જેની રિમેક કરી હોય તે ફિલ્મનું ગીત ભદ્દી રીતે નવી બીટ ઉમેરીને કર્કશ અવાજમાં રાગ બગાડીને ગવડાવી ટીવી અને રેડિયો પર તેનું સતત હેમરિંગ કરવું. એટલે ‘ઇમ્તિહાન’માં ‘હમરાઝ’ના કોઈ ગીતનું રિમિક્સ મૂકાયુ નહોતું.

આ ફિલ્મ વખતે સૈફ અલી ખાન નવો નવો હતો એટલે આજના જેવો મેચો નથી લાગતો. પણ રૂપાળી છોકરી જેવો ત્રાંસી આંખવાળો લાગે છે, જ્યારે સન્ની દેઓલ બૂમબરાડા જ નહોતો કરતો. યુવાન દેખાતો હતો અને આવી રોમેન્ટિક ફિલ્મ પણ કરતો હતો. રવીના પણ આ ફિલ્મમાં ખૂબ જ સુંદર લાગે છે.  ફિલ્મ ન જોઈ હોય તો જોવા જેવી ખરી.

દુનિયા બદલવા નીકળ્યા’તા, પત્રકારો પોતે જ બદલાઈ ગયા

દુનિયા બદલવા નીકળ્યા’તા
પત્રકારો પોતે જ બદલાઈ ગયા
ફાંકો રાખી હાલી નીકળ્યા’તા
વહેમો બધા ધોવાઈ ગયા

લખવું’તું તો ઘણું છાપે કોણ
પગ જ બેડીમાં જકડાઈ ગયા
નોકરી છે કરવી પડે
માનીને જાત્રામાં જોડાઈ ગયા

કરે ઘણી ભ્રષ્ટાચારની વાતો
પોતાના હાથ જ ખરડાઈ ગયા
ક્યાં રહી હવે એ કલમ?
જ્યાં અક્ષર જ તરડાઈ ગયા

જી સાહેબ, યસ સર
માથાં નીચાં થઈ ગયાં
બધે કાગડા કાળાં
સૌ સ્વીકારતા થઈ ગયા

દુનિયા આખીના શોષણની વાતું
કરનારા પોતે શોષિત થઈ ગયા
ત્રણ કોલમના ન્યૂઝ
સિંગલમાં છપાતા થઈ ગયા

- જયવંત પંડ્યા (રચ્યા તા. ૭ મે, ૨૦૧૩, પગારનો દિવસ!)